________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates હશે કે જ્યાં પદ્મપુરાણની એક બે હસ્તલિખિત પ્રતો ન હોય.
પદ્મપુરાણની હિન્દી વિચનિકા પં. દોલતરામજીએ વિક્રમ સં. ૧૮૨૩ માં કરી છે. તે જયપુરમાં રહેતા. તેમની જાતિ ખંડેલવાલ અને ગોત્ર કાશલીવાલ હતું. જયપુરમાં તેમના એક પરમમિત્ર શ્રી રાયમલ્લજી રહેતા હતા. તેમના અત્યંત સ્નેહું અને પ્રેરણાથી ૫. દૌલતરામજીએ આ ભાષા ટીકા બનાવી છે. તે પોતે પોતાના શબ્દોમાં લખે છે –
રાયમલ્લ સાધર્મી એક, જાકે ઘટમેં સ્વ-પરવિવેક,
દયાવન્ત ગુણવત્ત સુજાન, પર-ઉપકારી પરમ નિધાન. દૌલતરામ સુતાકો મિત્ર, તાસોં ભાષ્યો વચન પવિત્ર
પદ્મપુરાણ મહાશુભ ગ્રંથ, તામે લોગ શિખરકો પંથ. ભાષારૂપ હોય જો યેહ, બહુજન વાંચ કરે અતિ નેહ, તાકે વચન હિયમેં ધાર, ભાષા કીની મતિ-અનુસાર.
હિન્દી પદ્મપુરાણની ભાષા હિન્દી પદ્મપુરાણની ભાષા ગૂંટારી અથવા રાજસ્થાની છે. આજથી ૧૦૦ વર્ષ પહેલાં જેટલા પ્રસિદ્ધ દિગંબર જૈન વિદ્વાનો થયા છે તે ઘણું કરીને જયપુર અથવા તેની આસપાસ જ થયા છે અને તેમણે પોતાને ત્યાં જનસામાન્યમાં પ્રચલિત રાજસ્થાની ભાષામાં જ પોતાના મૌલિક કે અનુવાદિત ગ્રંથો રચ્યા છે. છતાં પણ આ ચૂંટારી ભાષા એટલી શ્રુતિ-મધુર અને જનપ્રિય થઈ છે કે ભારતવર્ષના વિભિન્ન પ્રાંતોના નિવાસી બધા દિગંબર જૈન તેને સારી રીતે સમજી શકે છે.
પ્રસ્તુત સંસ્કરણ આ હિન્દી ભાષા વચનિકાના કેટલાક સંસ્કરણો અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યા છે. પણ આજે તેની પ્રાપ્તિ અસંભવ જેવી બની ગઈ છે. એ વાતનું ધ્યાન રાખીને શ્રી ૧૦૫ ક્ષુલ્લક ચિદાનંદજી મહારાજની પ્રેરણાનુસાર સસ્તી ગ્રંથમાળાના સંચાલકોએ તેને પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો.
કેટલાક લોકોની ઈચ્છા હતી કે ભાષાને આજની હિન્દી રૂપમાં પરિવર્તિત કરવી પણ એમ બની શક્યું નહિ. એના બે કારણ હુતા-એક તો એ કે પ્રાચીન લોકોને ઉક્ત ટુંઢારી ભાષાજ સાંભળવી ગમતી હતી, બીજું કારણ એ કે તેનું વર્તમાન રૂપમાં પરિવર્તન ઘણો સમય માગતું હતું. મને સારી રીતે યાદ છે કે મારા પૂજ્ય ગુરુ સ્વ. પં. ઘનશ્યામદાસજી ન્યાયતીર્થ ૩૫ વર્ષ પહેલાં શ્રી સ્વ. ૫. ઉદયલાલજી કાલીવાલની પ્રેરણાથી વિશુદ્ધ હિન્દીમાં પદ્મપુરાણનો અનુવાદ કર્યો હતો અને પ્રકાશન માટે તેને પં. ઉદયલાલજી પાસે મુંબઈ મોકલ્યો હતો. તે બન્ને વિદ્વાનોના અકાળ અવસાનથી તે અનુવાદ ક્યાં પડ્યો પડ્યો પોતાનું દુ:ખી જીવન વીતાવી રહ્યો છે તેની કાંઈ ખબર પડી નથી. જો સ્વ. પં. ઉદયલાલજીના ઉતરાધિકારીઓ પાસે તે અનુવાદ સુરક્ષિત હોય તો તે સસ્તી ગ્રંથમાળાને આપવાની કૃપા કરે કે જેથી આગામી સંસ્કરણમાં તે પ્રકાશિત કરાવી શકાય.
પ્રસ્તુત સંસ્કરણ ભારતીય જૈન સિદ્ધાંત પ્રકશિની સંસ્થા લકત્તાથી મુદ્રિત પદ્મપુરાણની કોપી પરથી છાપવામાં આવેલ છે. પણ તેમાં દિ. જૈન મન્દિર ધર્મપુરી, દિલ્હ શાસ્ત્રભંડારની હસ્ત
(૮)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com