SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સપ્તમ પર્વ ૮૩ થયા. કેટલાક સર્પ બનીને આખા શરીરે વીંટળાઈ વળ્યા. કેટલાક ના૨ બનીને મોઢું ફાડીને ધસ્યા અને કેટલાકે તેમના કાનમાં એવી ગર્જના કરી કે જે સાંભળીને લોકો બહેરા થઈ જાય. કેટલાક માયામયી ડાંસ બનીને એમના શરીરે કરડયા, માયમયી હાથી દેખાડયા, ભયંકર પવન ચલાવ્યો, માયામયી દાવાનળ પ્રગટાવ્યો, આ પ્રમાણે અનેક ઉપદ્રવ ર્યા તો પણ એ ધ્યાનથી ડગ્યા નહિ. પછી દેવોએ માયામયી ભીલની સેના બનાવી. અંધકાર સમાન કાળાં વિકરાળ આયુધો ધારણ કરી એવી માયા બતાવી કે પુષ્પાંતકનગર નાશ પામ્યું છે અને મહાયુદ્ધમાં રત્નશ્રવાને કુટુંબ સહિત બંધાયેલો દેખાડયો, માતા કૈકસીને વિલાપ કરતી દેખાડી કે હે પુત્રો! આ ચાંડાલ ભીલોએ તમારા પિતા ઉપર મહાઉપદ્રવ કર્યો છે, આ ચાંડાલો અમને મારે છે, પગમાં બેડી નાખી છે, માથાના વાળ ખેંચે છે. હૈ પુત્રો! તમારી સામે થઈને આ મ્લેચ્છ ભીલ મને એમની પલ્લીમાં લઈ જાય છે. તમે કહેતા હતા કે બધા વિધાધરો ભેગા થઈને અમારી સાથે લડે તો પણ હું ન હારું તો આ વાત તમે જૂઠી જ કહેતા હતાને? હવે તમારી સામે આ મ્લેચ્છ ચાંડાલ મને વાળ પકડીને ખેંચીને લઈ જાય છે. તમે ત્રણેય ભાઈ આ મ્લેચ્છો સાથે લડવાને સમર્થ નથી, તમે કાયર છો. હું દશગ્રીવ! વિભીષણ, તારાં વખાણ ખોટાં જ કરતો હતો. તું તો એક ગ્રીવા પણ નથી, જે માતાની રક્ષા કરતો નથી, અને આ કુંભકર્ણ પણ અમારો પોકાર કાનથી સાંભળતો નથી અને આ વિભીષણ કહેવરાવે છે તે નિરર્થક છે. એક ભીલ સાથે પણ લડવાને તે સમર્થ નથી. આ મ્લેચ્છ તારી બહેન ચન્દ્રનખાને લઈ જાય છે તો પણ તમને શરમ નથી આવતી ? જે વિદ્યા સાધવાની છે તે તો માતાપિતાની સેવા માટે, તો પછી એ વિધા શું કામમાં આવશે ? ઇત્યાદિ માયામયી ચેષ્ટા દેવોએ બતાવી તો પણ એ ધ્યાનમાંથી ડગ્યા નહિ. ત્યારે દેવોએ એક ભયાનક માયા બતાવી અર્થાત્ રાવણની સમક્ષ રત્નશ્રવાનું શિર કપાયેલું બતાવ્યું. રાવણની સમક્ષ ભાઈઓનાં પણ મસ્તક કપાયેલાં દેખાડયાં અને ભાઈઓની સમક્ષ રાવણનું પણ શિર કપાયેલું દેખાડયું. તો પણ રાવણ સુમેરુ પર્વત સમાન અતિનિશ્ચલ જ રહ્યો. જો આવું ધ્યાન મહામુનિ કરે તો આઠ કર્મને છેદી નાખે. કુંભકર્ણ અને વિભીષણને થોડીક વ્યાકુળતા થઈ, પણ વિશેષ નહિ. તેથી રાવણને તો અનેક સહસ્રવિધા પ્રાપ્ત થઈ. જેટલા મંત્ર જપવાના નિયમ ર્યા હતા તે પૂર્ણ થયા પહેલાં જ વિદ્યા સિદ્ધ થઈ. ધર્મના નિશ્ચયથી શું ન થાય ? આવો દૃઢ નિશ્ચય પણ પૂર્વોપાર્જિત ઉજ્જવલ કર્મથી થાય છે. કર્મ જ સંસારનું મૂળકારણ છે. કર્માનુસાર આ જીવ સુખદુઃખ ભોગવે છે. સમયે ઉત્તમ પાત્રોને વિધિપૂર્વક દાન આપવું અને દયાભાવથી સદા સર્વને આપવું, અંત સમયે સમાધિમરણ કરવું, સમ્યગ્નાનની પ્રાપ્તિ કોઈ ઉત્તમ જીવને જ થાય છે. કોઈને તો વિધા દસ વર્ષમાં સિદ્ધ થાય છે અને કોઈને ક્ષણમાત્રમાં. આ બધો કર્મનો પ્રભાવ છે એમ જાણો. રાતદિવસ પૃથ્વી ઉ૫૨ ભ્રમણ કરો, જળમાં પ્રવેશ કરો, પર્વતના શિખર ઉપર ચડો, અનેક પ્રકારનાં શારીરીક કષ્ટ કરો તો પણ પુણ્યના ઉદય વિના કાર્યસિદ્ધિ થતી નથી. જે ઉત્તમ કાર્ય કરતા નથી તે નિરર્થક જ શ૨ી૨ ગુમાવે માટે આચાર્યની સેવા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008396
Book TitleRam Charitra
Original Sutra AuthorRavishenacharya
Author
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy