________________
૮૦૪
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
તો તે કારણે કરી વિશેષ ક્લેશ વેદન કરવો પડે છે, કેમકે ઉદય વિભાવક્રિયાનો છે અને ઇચ્છા આત્મભાવમાં સ્થિતિ
કરવાની છે. [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૯૧ ]
તથાપિ એમ રહે છે કે, ઉદયનું વિશેષ કાળ સુધી વર્તવું રહે તો આત્મભાવ વિશેષ ચંચળ પરિણામને પામશે; કેમકે આત્મભાવ વિશેષ સંધાન કરવાનો અવકાશ ઉદયની પ્રવૃત્તિને લીધે પ્રાપ્ત ન થઈ શકે, અને તેથી તે આત્મભાવ કંઈ પણ અજાગૃતપણાને પામે.
જે આત્મભાવ ઉત્પન્ન થયો છે, તે આત્મભાવ પર જો વિશેષ લક્ષ કરવામાં આવે તો અલ્પ કાળમાં તેનું વિશેષ વર્ધમાનપણું થાય, અને વિશેષ જાગૃતાવસ્થા ઉત્પન્ન થાય, અને થોડા કાળમાં હિતકારી એવી ઉગ્ર આત્મદશા પ્રગટે અને જો હૃદયની સ્થિતિ પ્રમાણે હૃદયનો કાળ રહેવા દેવાનો વિચાર કરવામાં આવે તો હવે આત્મશિથિલતા થવાનો પ્રસંગ આવશે, એમ લાગે છે; કેમકે દીર્ઘકાળનો આત્મભાવ હોવાથી અત્યાર સુધી ઉદયબળ ગમે તેવું છતાં તે આત્મભાવ હણાયો નથી, તથાપિ કંઈક કંઈક તેની અજાગૃતાવસ્થા થવા દેવાનો વખત આવ્યો છે; એમ છતાં પણ હવે કેવળ ઉદય પર ધ્યાન આપવામાં આવશે તો શિથિલભાવ ઉત્પન્ન થશે. -
[ હાથનોંધ ૧, પૃષ્ઠ ૯૨ ] જ્ઞાનીપુરુષો ઉદયવશ દેહાદિ ધર્મ નિવર્તે છે, એ રીતે પ્રવૃત્તિ કરી હોય તો આત્મભાવ હણાવો ન જોઈએ; એ માટે તે વાત લક્ષ રાખી ઉદય વૈદવો ઘટે છે, એમ વિચાર પણ હમણાં ઘટતો નથી, કેમકે જ્ઞાનમાં તારતમ્ય કરતાં ઉદયબળ વધતું જોવામાં આવે તો જરૂર ત્યાં જ્ઞાનીએ પણ જાગૃત દશા કરવી ઘટે, એમ શ્રી સર્વજ્ઞે કહ્યું છે.
અત્યંત દુષમકાળ છે તેને લીધે અને હતપુણ્ય લોકોએ ભરતક્ષેત્ર ઘેર્યું છે તેને લીધે પરમસત્સંગ, સત્સંગ કે સરળપરિણામી જીવોનો સમાગમ પણ દુર્લભ છે, એમ જાણી જેમ અલ્પકાળમાં સાવધાન થવાય તેમ કરવું ઘટે છે.
મૌનદશા ધારણ કરવી
܀܀܀܀܀
૩૯
[ હાથનોંધ ૧, પૃષ્ઠ ૯૩ ]
વ્યવહારનો ઉદય એવો છે કે તે ધારણ કરેલી દશા લોકોને કષાયનું નિમિત્ત થાય, તેમ વ્યવહારની પ્રવૃત્તિ બને નહીં.
ત્યારે તે વ્યવહાર નિવૃત્ત કરવી !
તે પણ વિચારતાં બનવું કઠણ લાગે છે, કેમકે તેવી કંઈક સ્થિતિ વેદવાનું ચિત્ત રહ્યા કરે છે. પછી તે શિથિલતાથી, હૃદયથી કે પરેચ્છાથી કે સર્વજ્ઞ દૃષ્ટથી, એમ છતાં પણ અલ્પકાળમાં આ વ્યવહારને સંક્ષેપ કરવા ચિત્ત છે.
તે વ્યવહાર કેવા પ્રકારે સંક્ષેપ થઈ શકશે
કેમકે તેનો વિસ્તાર વિશેષપણે જોવામાં આવે છે. વ્યાપારસ્વરૂપે, કુટુંબપ્રતિબંધ, યુવાવસ્થાપ્રતિબંધે, દયાસ્વરૂપે, વિકારસ્વરૂપે, ઉદયસ્વરૂપે - એ આદિ કારણે તે વ્યવહાર વિસ્તારરૂપ જણાય છે.
[ હાથનોંધ ૧, પૃષ્ઠ ૯૪ ]
હું એમ જાણું છું કે અનંતકાળથી અપ્રાપ્તવત્ એવું આત્મસ્વરૂપ કેવળજ્ઞાન-કેવળદર્શન-સ્વરૂપે અંતર્મુહૂર્તમાં ઉત્પન્ન કર્યું છે, તો પછી વર્ષ છ માસ કાળમાં આટલો આ વ્યવહાર કેમ નિવૃત્ત નહીં થઈ શકે ? માત્ર જાગૃતિના ઉપયોગાંતરથી તેની સ્થિતિ છે, અને તે ઉપયોગનાં બળને નિત્ય વિચાર્યેથી અલ્પ કાળમાં તે વ્યવહાર નિવૃત્ત થઈ શકવા યોગ્ય છે. તોપણ