________________
http://www.ShrimadRajchandra.org
૯૫૯
શ્રી
વ્યાખ્યાનસાર-૨
૧૪
મોરબી, અસાડ સુદ ૪, ૧૯૫૬
સમજવું.
૧ જ્ઞાન વૈરાગ્ય સાથે અને વૈરાગ્ય જ્ઞાન સાથે હોય છે. એકલાં ન હોય,
૨ વૈરાગ્ય શૃંગાર સાથે ન હોય, અને શૃંગાર સાથે વૈરાગ્ય ન હોય.
૩ વીતરાગવચનની અસરથી ઇંદ્રિયસુખ નીરસ ન લાગ્યાં તો જ્ઞાનીનાં વચનો કાને પડ્યાં જ નથી, એમ
૪ જ્ઞાનીનાં વચનો વિષયનું વમન, વિરેચન કરાવનારાં છે.
૫ છદ્મસ્થ એટલે આવરણયુક્ત.
૬ શૈલેશીકરણ=શૈલ =પર્વત ઈશ-મોટા; એટલે પર્વતોમાં મોટા મેરુ જેવા અકંપ ગુણવાળા,
૩ અકંપ ગુણવાળા મન,વચન, કાયાના યોગની સ્થિરતાવાળા
૮ મોક્ષમાં આત્માના અનુભવનો જ નાશ થતો હોય તો તે મોક્ષ શા કામનો ?
૯ આત્માનો ઊર્ધ્વ સ્વભાવ છે તે પ્રમાણે પ્રથમ ઊંચો જાય અને વખતે સિદ્ધશિલાએ મટકાય; પણ કર્મરૂપી બોજો હોવાથી નીચે આવે. જેમ ડૂબેલો માણસ ઉછાળાથી એક વખત ઉપર આવે છે તેમ.
*સં. ૧૯૫૬ ના અસાડ-શ્રાવણમાં શ્રીમદ્ની મોરબીમાં સ્થિતિ હતી તે પ્રસંગે વખતોવખત કરેલ ઉપદેશનો સાર તથા પુછાયેલા પ્રશ્નોના સમાધાનની સંક્ષિપ્ત નોંધ એક મુમુક્ષુ શ્રોતાએ કરેલ તે અત્રે આપીએ છીએ.