________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૩૩ મું
૪૭
૯૧૮
વવાણિયા, વૈશાખ, ૧૯૫૬
તમે કેટલાંક પ્રશ્નો લખ્યાં તે પ્રશ્નોનું સમાધાન સમાગમમાં સમજવું વિશેષ ઉપકારરૂપ જાણું છું. તોપણ કિંચિત્ સમાધાન અર્થે યથામતિ સંક્ષેપમાં તેના ઉત્તર અત્ર લખું છું,
સત્પુરુષની યથાર્થ જ્ઞાનદશા, સમ્યકૃત્વદશા, ઉપશમદશા તે તો જે યથાર્થ મુમુક્ષુ જીવ સત્પુરુષના સમાગમમાં આવે તે જાણે કેમકે પ્રત્યક્ષ તે ત્રણે દશાનો લાભ શ્રી સત્પુરુષના ઉપદેશથી કેટલાક અંશે થાય છે. જેમના ઉપદેશે તેવી દશાના અંશો પ્રગટે તેમની પોતાની દશામાં તે ગુણ કેવા ઉત્કૃષ્ટ રહ્યા હોવા જોઈએ તે વિચારવું સુગમ છે; અને એકાંત નયાત્મક જેમનો ઉપદેશ હોય તેથી તેવી એક પણ દશા પ્રાપ્ત થવી સંભવતી નથી તે પણ પ્રત્યક્ષ સમજાશે. સત્પુરુષની વાણી સર્વ નયાત્મક વર્તે છે.
બીજા પ્રશ્નોના ઉત્તરઃ-
9- જિનઆજ્ઞાઆરાધક સ્વાધ્યાય ધ્યાનથી મોક્ષ છે કે શી રીતે જ
ઉ- તથારૂપ પ્રત્યક્ષ સદ્ગુરુને યોગે અથવા કોઈ પૂર્વના દેઢ આરાધનથી જિનાજ્ઞા યથાર્થ સમજાય, યથાર્યાં પ્રતીત થાય અને યથાર્થ આરાધાય તો મોક્ષ થાય એમાં સંદેહ નથી.
પ્ર૰- જ્ઞાનપ્રજ્ઞાએ સર્વ વસ્તુ જાણેલી પ્રત્યાખ્યાનપ્રજ્ઞાએ પચ્ચખે તે પંડિત કહ્યા છે.
ઉ- તે યથાર્થ છે. જે જ્ઞાને કરીને પરભાવ પ્રત્યેનો મોહ ઉપશમ અથવા ક્ષય ન થયો, તે જ્ઞાન ‘અજ્ઞાન’ કહેવા યોગ્ય છે અર્થાત્ જ્ઞાનનું લક્ષણ પરભાવ પ્રત્યે ઉદાસીન થવું તે છે.
પ્રઃ- એકાંત જ્ઞાન માને તેને મિથ્યાત્વી કહ્યા છે.
પ્ર- એકાંત ક્રિયા માને તેને મિથ્યાત્વી કહ્યા છે.
ઉ- તે યથાર્થ છે.
ઉ- તે યથાર્થ છે.
પ્ર- ચાર કારણ મોક્ષ જવાને કહ્યાં છે. તે ચારમાંથી એક્કે કારણ તોડીને મોક્ષે જાય કે ચાર કારણ
સંયુક્તથી ?
-
ઉ- જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચાર કારણ મોક્ષના કહ્યાં છે, તે એક બીજાં અવિરોધપણે પ્રાપ્ત થયે મોક્ષ થાય.
પુ- સમકિત અધ્યાત્મની શૈલી શી રીતે છે
ઉo- યથાર્થ સમજાયે પરભાવથી આત્યંતિક નિવૃત્તિ કરવી તે અધ્યાત્મ માર્ગ છે. જેટલી જેટલી નિવૃત્તિ થાય તેટલા તેટલા સમ્યક્ અંશ છે.
પ્ર- ‘પુદ્ગલસેં રાતો રહે' છે, - ઇ.
પ્રઃ- અંતરાત્મા પરમાત્માને ધ્યાવે
ઉ- પુદ્ગલમાં રક્તમાનપણું તે મિથ્યાત્વભાવ છે.
ઉ- અંતરાત્મપણે પરમાત્મસ્વરૂપ ધ્યાવે તો પરમાત્મા થાય.
પ્ર૦- અને હાલ ધ્યાન શું વર્તે છે ? ઇ
ઉ6- સદગુરુનાં વચનને વારંવાર વિચારી, અનુપ્રેક્ષીને પરભાવથી આત્માને અસંગ કરવો તે.
પ્ર- મિથ્યાત્વ(?) અધ્યાત્મની પ્રરૂપણા વગેરે તમે લખીને પૂછ્યું કે તે યથાર્થ કહે છે કે કેમ ? અર્થાત્ સમકિતી નામ ધરાવી વિષયાદિની આકાંક્ષાને પુદ્ગલભાવને સેવવામાં કંઈ બાધ સમજતા નથી અને અમને બંધ નથી એમ કહે છે તે યથાર્થ કહે છે કે કેમ ?
ઉ- જ્ઞાનીના માર્ગની દૃષ્ટિએ જોતાં તે માત્ર મિથ્યાત્વ જ કથે છે. પુદ્ગલભાવે ભોગવે અને આત્માને કર્મ લાગતાં નથી એમ કહે તે જ્ઞાનીની દૃષ્ટિનું વચન નથી, વાચાજ્ઞાનીનું વચન છે.
પ્ર- જૈન પુદ્દગલભાવ ઓછો થયે આત્મધ્યાન પરિણમશે એમ કહે છે તે કેમ ?
ઉ- તે યથાર્થ કહે છે.