________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૯ મું
૫૩૧
કંઈ કારણ નથી એમ કહેવાને માટે. તેમ જે જીવો પોતાના વિચારથી સ્વયંબોધ પામ્યા છે એમ કહ્યું છે તે પણ વર્તમાન દેહે પોતાના વિચારથી અથવા બોધથી બૂડ્યા કહ્યા છે. પણ પૂર્વે તે વિચાર અથવા બોધ તેણે સન્મુખ કર્યો છે તેથી વર્તમાનમાં તે સ્ફુરાયમાન થવાનો સંભવ છે. તીર્થંકરાદિ ‘સ્વયંબુદ્ધ’ કહ્યા છે તે પણ પૂર્વે ત્રીજે ભવે સદગુરુથી નિશ્ચય સમકિત પામ્યા છે એમ કહ્યું છે. એટલે તે સ્વયંબુદ્ધપણું કહ્યું છે તે વર્તમાન દેહની અપેક્ષાએ કહ્યું છે, અને તે સદ્ગુરુપદના નિષેધને અર્થે કહ્યું નથી.
અને જો સદ્ગુરુપદનો નિષેધ કરે તો તે ‘સન્દેવ, સદ્ગુરુ અને સદ્ધર્મની પ્રતીતિ વિના સમકિત કહ્યું નથી', તે કહેવા માત્ર જ થયું.
અથવા જે શાસ્ત્રનું તમે પ્રમાણ લો છો તે શાસ્ત્ર સદ્ગુરુ એવા જિનનાં કહેલાં છે તેથી પ્રમાણિક માનવાં યોગ્ય છે કે કોઈ અસદ્ગુરુનાં કહેલાં છે તેથી પ્રમાણિક માનવાં યોગ્ય છે ? જો અસદ્ગુરુનાં શાસ્ત્રો પણ પ્રમાણિક માનવામાં બાધ ન હોય, તો તો અજ્ઞાન અને રાગદ્વેષ આરાધવાથી પણ મોક્ષ થાય એમ કહેવામાં બાધ નથી, તે વિચારવા યોગ્ય છે,
‘આચારાંગસૂત્ર'માં (પ્રથમ શ્રુતસ્કંધ, પ્રથમાધ્યયનના પ્રથમ ઉદ્દેશે, પ્રથમ વાક્ય) કહ્યું છે કે- આ જીવ પૂર્વથી આવ્યો છે ? પશ્ચિમથી આવ્યો છે ? ઉત્તરથી આવ્યો છે ? દક્ષિણથી આવ્યો છે ? અથવા ઊંચેથી ? નીચેથી કે કોઈ અનેરી દિશાથી આવ્યો છે ? એમ જે જાણતો નથી તે મિથ્યાર્દષ્ટિ છે, જે જાણે તે સમ્યગ્દષ્ટિ છે. તે જાણવાનાં ત્રણ કારણો આ પ્રમાણે :- (૧) તીર્થંકરના ઉપદેશથી, (૨) સદ્ગુરુના ઉપદેશથી, અને (૩) જાતિસ્મૃતિજ્ઞાનથી,
અત્રે જાતિસ્મૃતિ જ્ઞાન કહ્યું તે પણ પૂર્વના ઉપદેશની સંધિ છે. એટલે પૂર્વે તેને બોધ થવામાં સદ્ગુરુનો અસંભવ ધારવો ઘટતો નથી. વળી ઠામ ઠામ જિનાગમમાં એમ કહ્યું છે કેઃ-
‘ગુરુનો છંવાળુવત્તના’ ગુરુની આજ્ઞાએ પ્રવર્તવું.
ગુરુની આજ્ઞાએ ચાલતાં અનંતા જીવો સીઝ્યા, સીઝે છે અને સીઝશે. તેમ કોઈ જીવ પોતાના વિચારથી બોધ પામ્યા, તેમાં પ્રાર્ય પૂર્વે સદ્ગુરુઉપદેશનું કારણ હોય છે. પણ કદાપિ જ્યાં તેમ ન હોય ત્યાં પણ તે સદ્ગુરુનો નિત્યકામી રહ્યો થકો સદ્વિચારમાં પ્રેરાતો પ્રેરાતો સ્વવિચારથી આત્મજ્ઞાન પામ્યો એમ કહેવા યોગ્ય છે; અથવા તેને કંઈ સદ્ગુરુની ઉપેક્ષા નથી અને જ્યાં સદ્ગુરુની ઉપેક્ષા વર્તે ત્યાં માનનો સંભવ થાય છે; અને જ્યાં સદ્ગુરુ પ્રત્યે માન હોય ત્યાં કલ્યાણ થવું કહ્યું, કે તેને સદ્વિચાર પ્રેરવાનો આત્મગુણ કહ્યો.
તથારૂપ માન આત્મગુણનું અવશ્ય ઘાતક છે. બાહુબળજીમાં અનેક ગુણસમૂહ વિદ્યમાન છતાં નાના અઠ્ઠાણું ભાઈને વંદન કરવામાં પોતાનું લઘુપણું થશે, માટે અત્રે જ ધ્યાનમાં રોકાવું યોગ્ય છે એમ રાખી એક વર્ષ સુધી નિરાહારપણે અનેક ગુણસમુદાયે આત્મધ્યાનમાં રહ્યા, તોપણ આત્મજ્ઞાન થયું નહીં. બાકી બીજી બધી રીતની યોગ્યતા છતાં એક એ માનના કારણથી તે જ્ઞાન અટક્યું હતું. જ્યારે શ્રી ઋષભદેવ પ્રેરેલી એવી બ્રાહ્મી અને સુંદરી સતીએ તેને તે દોષ નિવેદન કર્યો અને તે દોષનું ભાન તેને થયું તથા તે દોષની ઉપેક્ષા કરી અસારત્વ જાણું ત્યારે કેવળજ્ઞાન થયું. તે માન જ અત્રે ચાર ઘનઘાતી કર્મનું મૂળ થઈ વર્યું હતું. વળી બાર બાર મહિના સુધી નિરાહારપણે, એક લક્ષે, એક આસને, આત્મવિચારમાં રહેનાર એવા પુરુષને એટલા માને તેવી બારે મહિનાની દશા સફળ થવા ન દીધી, અર્થાત્ તે દશાથી માન ન સમજાયું અને જ્યારે સદ્ગુરુ એવા શ્રી ઋષભદેવે તે માન છે એમ પ્રેર્યું ત્યારે મુહૂર્તમાં તે માન વ્યતીત થયું; એ પણ સદ્ગુરુનું જ માહાત્મ્ય દર્શાવ્યું છે.
૧. સૂત્રકૃતાંગ, પ્રથમ શ્રુતસ્કંધ, દ્વિતીય અધ્યયન, ગા૦ ૩ર,