________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૦ મું
જ્ઞાન-રવિ વૈરાગ્ય જસ, હિરદે ચંદ સમાન;
તાસ નિકટ કહો કીં રહે. મિથ્યાતમ દુઃખ જાન,
૧૬૩
જીવ ! સમજ કે જેના હૃદયમાં જ્ઞાનરૂપી સૂર્યનો પ્રકાશ થયો છે, અને જેના હૃદયમાં વૈરાગ્યરૂપી ચંદ્રનો ઉદય થયો છે. તેના સમીપ કેમ રહે - શું ? મિથ્યા ભ્રમરૂપી અંધકારનું દુઃખ,
જૈસે કંચુક ત્યાગસે, બિનસત નહીં ભુજંગ;
દેહ ત્યાગસે જીવ પુનિ, તૈસે રહત અભંગ,
જેમ કાંચળીનો ત્યાગ કરવાથી સર્પ નાશ પામતો નથી તેમ દેહનો ત્યાગ કરવાથી જીવ પણ અભંગ રહે છે એટલે નાશ પામતો નથી. અહીં દેહથી જીવ ભિન્ન છે એમ સિદ્ધતા કરેલી છે.
કેટલાક આત્માઓ તે દેહ અને જીવની ભિન્નતા નથી, દેહનો નાશ થવાથી જીવનો પણ નાશ થાય એમ કહે છે, તે માત્ર વિકલ્પરૂપ છે પણ પ્રમાણભૂત નથી; કેમકે તેઓ કાંચળીના નાશથી સર્પનો પણ નાશ થયેલો સમજે છે, અને એ વાત તો પ્રત્યક્ષ છે કે સર્પનો નાશ કાંચળીના ત્યાગથી નથી, તેમ જ જીવને માટે છે.
દેહ છે તે જીવની કાંચળી માત્ર છે. કાંચળી જ્યાં સુધી સર્પના સંબંધમાં છે, ત્યાં સુધી જેમ સર્પ ચાલે છે, તેમ તે તેની સાથે ચાલે છે; તેની પેઠે વળે છે અને તેની સર્વ ક્રિયાઓ સર્પની ક્રિયાને આધીન છે. સર્પે તેનો ત્યાગ કર્યો કે ત્યાર પછી તેમાંની એકે ક્રિયા કાંચળી કરી શકતી નથી; જે ક્રિયામાં પ્રથમ તે વર્તતી હતી તે સર્વ ક્રિયાઓ માત્ર સર્પની હતી, એમાં કાંચળી માત્ર સંબંધરૂપ હતી. એમ જ દેહ પણ જેમ જીવ કર્માનુસાર ક્રિયા કરે છે તેમ વર્તે છે; ચાલે છે, બેસે છે, ઊઠે છે, એ બધું જીવરૂપ પ્રેરકથી છે, તેનો વિયોગ થવા પછી કાંઈ નથી;
શકાય છે.
૨૩
જીવતત્ત્વસંબંધી વિચાર
[અપૂર્ણ]
એક પ્રકારથી, બે પ્રકારથી, ત્રણ પ્રકારથી, ચાર પ્રકારથી, પાંચ પ્રકારથી અને છ પ્રકારથી જીવતત્ત્વ સમજી
સર્વ જીવને ઓછામાં ઓછો શ્રુતજ્ઞાનનો અનંતમો ભાગ પ્રકાશિત રહેલો હોવાથી સર્વ જીવ ચૈતન્યલક્ષણે એક જ પ્રકારના છે,
ત્રસ એટલે તડકામાંથી છાંયામાં આવે, છાંયામાંથી તડકામાં આવે, ચાલવાની શક્તિવાળાં હોય, ભય દેખીને ત્રાસ પામતાં હોય તેવી એક જાતિ; અને બીજાં એક જ સ્થળે સ્થિતિવાળાં હોય તેવી જાતના જીવની સ્થાવર નામની જાતિ; એમ બે પ્રકારે સર્વ જીવ સમજી શકાય છે.
સર્વ જીવને વેદથી તપાસી જોઈએ તો સ્ત્રી, પુરુષ કે નપુંસક તેમાં તેઓનો સમાવેશ થાય છે. કોઈ સ્ત્રીવેદમાં, કોઈ પુરુષવેદમાં અને કોઈ નપુંસકવેદમાં હોય છે. એ સિવાય ચોથો વેદ નહીં હોવાથી ત્રણ પ્રકારે વૈદર્દષ્ટિએ સર્વ જીવ સમજી શકાય છે.
૧. નવ તત્ત્વ પ્રકરણ, ગાથા 3.
एगविह दुविह तिविहा, चउव्विहा, पंच छव्विहा जीवा ।
ઘેયળ-તસ-યોહિં,
વેય-ડું-૨ળ-વ્યાěિ||3||
ભાવાર્થ- જીવો અનુક્રમે ચેતનરૂપ એક જ ભેદ વડે એક પ્રકારના છે, ત્રસ અને સ્થાવરરૂપે બે પ્રકારના છે, વેદરૂપે ત્રણ પ્રકારના, ગતિ વડે ચાર પ્રકારના, ઇન્દ્રિય વડે પાંચ પ્રકારના અને કાયના ભેદ વડે છ પ્રકારના પણ કહેવાય.