________________
ગર્યો.
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૧૭ મું
૫. અનાદિ જીવ સિદ્ધ થયો એટલે ઉત્પત્તિ સંબંધીનો પાંચમો દોષ ગયો.
૬. ઉત્પત્તિ અસિદ્ધ થઈ એટલે કર્તા સંબંધીનો છકો દોષ ગયો.
૭. ધ્રુવતા સાથે વિઘ્નતા લેતાં અબાધ થયું એટલે ચાર્વાકમિશ્રવચનનો સાતમો દોષ ગયો.
૧૨૩
૮. ઉત્પત્તિ અને વિઘ્નતા પૃથક્ પૃથક્ દેહે સિદ્ધ થઈ માટે કેવળ ચાર્વાકસિદ્ધાંત એ નામનો આઠમો દોષ
૯ થી ૧૪. શંકાનો પરસ્પરનો વિરોધાભાસ જતાં ચૌદ સુધીના દોષ થયા.
૧૫. અનાદિ અનંતતા સિદ્ધ થતાં સ્યાદ્વાદવચન સત્ય થયું એ પંદરમો દોષ ગયો.
૧૬, કર્તા નથી એ સિદ્ધ થતાં જિનવચનની સત્યતા રહી એ સોળમો દોષ ગયો,
૧૭. ધર્માધર્મ, દેહાદિક પુનરાવર્તન સિદ્ધ થતાં સત્તરમો દોષ ગયો.
૧૮. એ સર્વ વાત સિદ્ધ થતાં ત્રિગુણાત્મક માયા અસિદ્ધ થઈ એ અઢારમો દોષ ગયો.
܀܀܀܀܀
શિક્ષાપાઠ ૯૧. તત્ત્વાવબોધ-ભાગ ૧૦
આપની યોજેલી યોજના હું ધારું છું કે આથી સમાધાન પામી હશે. આ કંઈ યથાર્થ શૈલી ઉતારી નથી, તોપણ એમાં કંઈ પણ વિનોદ મળી શકે તેમ છે. એ ઉપર વિશેષ વિવેચન માટે બહોળો વખત જોઈએ એટલે વધારે કહેતો નથી; પણ એક બે ટૂંકી વાત આપને કહેવાની છે તે જો આ સમાધાન યોગ્ય થયું હોય તો કહું. પછી તેઓ તરફથી મનમાન્યો ઉત્તર મળ્યો, અને એક બે વાત જે કહેવાની હોય તે સહર્ષ કહો એમ તેઓએ કહ્યું.
પછી મેં મારી વાત સંજીવન કરી લબ્ધિ સંબંધી કહ્યું. આપ એ લબ્ધિ સંબંધી શંકા કરો કે એને ક્લેશરૂપ કહો તો એ વચનોને અન્યાય મળે છે. એમાં અતિ અતિ ઉજ્જ્વળ આત્મિક શક્તિ, ગુરુગમ્યતા અને વૈરાગ્ય જોઈએ છે; જ્યાં સુધી તેમ નથી ત્યાં સુધી લબ્ધિ વિષે શંકા રહે ખરી, પણ હું ધારું છું કે આ વેળા એ સંબંધી કહેલા બે બોલ નિરર્થક નહીં જાય. તે એ કે જેમ આ યોજના નાસ્તિ અસ્તિ પર યોજી જોઈ. તેમ એમાં પણ બહુ સૂક્ષ્મ વિચાર કરવાના છે. દેહે દેની પૃથક પૃથક્ ઉત્પત્તિ, ચ્યવન, વિશ્રામ, ગર્ભાધાન, પર્યાપ્તિ, ઇન્દ્રિય, સત્તા, જ્ઞાન, સંજ્ઞા, આયુષ્ય, વિષય ઇત્યાદિ અનેક કર્મપ્રકૃતિ પ્રત્યેક ભેદે લેતાં જે વિચારો એ લબ્ધિથી નીકળે તે અપૂર્વ છે. જ્યાં સુધી લક્ષ પહોંચે ત્યાં સુધી સઘળા વિચાર કરે છે; પરંતુ દ્રવ્યાર્થિક, ભાવાર્થિક નયે આખી સૃષ્ટિનું જ્ઞાન એ ત્રણ શબ્દોમાં રહ્યું છે તેનો વિચાર કોઈ જ કરે છે; તે સદ્ગુરુમુખની પવિત્ર લબ્ધિરૂપે જ્યારે આવે ત્યારે દ્વાદશાંગી જ્ઞાન શા માટે ન થાય ? જગત એમ કહેતાં જેમ મનુષ્ય એક ઘર, એક વાસ, એક ગામ, એક શહેર, એક દેશ, એક ખંડ, એક પૃથ્વી એ સઘળું મૂકી દઈ અસંખ્યાત દ્વીપ સમુદ્ર યુક્તાદિકથી ભરપૂર વસ્તુ એકદમ કેમ સમજી જાય છે ? એનું કારણ માત્ર એટલું જ કે તે એ શબ્દની બહોળતાને સમજ્યું છે, કિંવા લક્ષની અમુક બહોળતાને સમજ્યું છે; જેથી જગત એમ કહેતાં એવડો મોટો મર્મ સમજી શકે છે, તેમજ ઋજુ અને સરળ સત્પાત્ર શિષ્યો નિગ્રંથ ગુરુથી એ ત્રણ શબ્દોની ગમ્યતા લઈ દ્વાદશાંગી જ્ઞાન પામતા હતા. અને તે લબ્ધિ અલ્પજ્ઞતાથી વિવેકે જોતાં ક્લેશરૂપ પણ નથી.
܀܀܀܀܀
શિક્ષાપાઠ ૯૨. તત્ત્વાવબોધ-ભાગ ૧૧
એમ જ નવ તત્ત્વ સંબંધી છે. જે મધ્યવયના ક્ષત્રિયપુત્રે જગત અનાદિ છે, એમ બેધડક કહીં કર્તાને ઉડાડ્યો હશે, તે પુરુષે શું કંઈ સર્વજ્ઞતાના ગુપ્ત ભેદ વિના કર્યુ હશે ? તેમ એની