________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૧૭ મું
૧૨૧
મળતું નથી. આવા આવા તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો જૈનમાં છે એ મારું લક્ષ નહોતું. આમાં આખી સૃષ્ટિનું તત્ત્વજ્ઞાન કેટલેક અંશે આવી શકે ખરું.
શિક્ષાપાઠ ૮૭. તત્ત્વાવબોધ-ભાગ ૬
એનો ઉત્તર આ ભણીથી એમ થયો કે હજુ આપ આટલું કહો છો તે પણ જૈનના તત્ત્વવિચારો આપના હૃદયે આવ્યા નથી ત્યાં સુધી; પરંતુ હું મધ્યસ્થતાથી સત્ય કહું છું કે એમાં જે વિશુદ્ધજ્ઞાન બતાવ્યું છે તે ક્યાંય નથી; અને સર્વ મતોએ જે જ્ઞાન બતાવ્યું છે તે મહાવીરના તત્ત્વજ્ઞાનના એક ભાગમાં આવી જાય છે. એનું કથન સ્યાદ્વાદ છે, એકપક્ષી નથી.
તમે એમ કહ્યું કે કેટલેક અંશે સૃષ્ટિનું તત્ત્વજ્ઞાન એમાં આવી શકે ખરું, પરંતુ એ મિશ્રવચન છે. અમારી સમજાવવાની અલ્પજ્ઞતાથી એમ બને ખરું, પરંતુ એથી એ તત્ત્વોમાં કંઈ અપૂર્ણતા છે એમ તો નથી જ. આ કંઈ પક્ષપાતી કથન નથી. વિચાર કરી આખી સૃષ્ટિમાંથી એ સિવાયનું એક દશમું તત્ત્વ શોધતાં કોઈ કાળે તે મળનાર નથી. એ સંબંધી પ્રસંગોપાત્ત આપણે જ્યારે વાતચીત અને મધ્યસ્થ ચર્ચા થાય ત્યારે નિઃશંકતા થાય.
ઉત્તરમાં તેઓએ કહ્યું કે આ ઉપરથી મને એમ તો નિઃશંકતા છે કે જૈન અદ્ભુત દર્શન છે. શ્રેણિપૂર્વક તમે મને કેટલાક નવ તત્ત્વના ભાગ કહી બતાવ્યા એથી હું એમ બેધડક કહી શકું છું કે મહાવીર ગુપ્તભેદને પામેલા પુરુષ હતા. એમ સહજસાજ વાત કરીને ‘ઉપન્નેવા’, ‘વિઘનેવા’, ‘વેવા’, એ લબ્ધિવાક્ય મને તેઓએ કહ્યું. તે કહી બતાવ્યા પછી તેઓએ એમ જણાવ્યું કે આ શબ્દોના સામાન્ય અર્થમાં તો કોઈ ચમત્કૃતિ દેખાતી નથી; ઊપજવું, નાશ થવું અને અચળતા, એમ એ ત્રણે શબ્દોનો અર્થ છે. પરંતુ શ્રીમાન ગણધરોએ તો એમ દર્શિત કર્યું છે કે એ વચનો ગુરુમુખથી શ્રવણ કરતાં આગળના ભાવિક શિષ્યોને દ્વાદશાંગીનું આશયભરિત જ્ઞાન થતું હતું. એ માટે મેં કંઈક વિચારો પહોંચાડી જોયા છતાં મને તો એમ લાગ્યું કે એ બનવું અસંભવિત છે, કારણ અતિ અતિ સૂક્ષ્મ માનેલું સૈદ્ધાંતિક જ્ઞાન એમાં ક્યાંથી સમાય ? એ સંબંધી તમે કંઈ લક્ષ પહોંચાડી શકશો ?
܀܀܀܀܀
શિક્ષાપાઠ ૮૮. તત્ત્વાવબોધ-ભાગ ૭
ઉત્તરમાં મેં કહ્યું કે આ કાળમાં ત્રણ મહાજ્ઞાન પરંપરામ્બાયથી ભારતમાં જોવામાં આવતાં નથી, તેમ છતાં હું કંઈ સર્વજ્ઞ કે મહાપ્રજ્ઞાવંત નથી; છતાં મારું જેટલું સામાન્ય લક્ષ પહોંચે તેટલું પહોંચાડી કંઈ સમાધાન કરી શકીશ, એમ મને સંભવ રહે છે. ત્યારે તેમણે કહ્યું, જો તેમ સંભવ થતો હોય તો એ ત્રિપદી જીવ પર 'ના' ને 'હા' વિચારે ઉતારો. તે એમ કે જીવ શું ઉત્પત્તિરૂપ છે ? તો કે ના. જીવ શું વિઘ્નતારૂપ છે ? તો કે ના. જીવ શું વરૂપ છે ? તો કે ના. આમ એક વખત ઉતારો અને બીજી વખત જીવ શું ઉત્પત્તિરૂપ છે ? તો કે હા, જીવ શું વિઘ્નતારૂપ છે ? તો કે હા. જીવ શું ધ્રુવરૂપ છે ? તો કે હા, આમ ઉતારો, આ વિચારો આખા મંડળે એકત્ર કરી યોજ્યા છે, એ જો યથાર્થ કહી ન શકાય તો અનેક પ્રકારથી દૂષણ આવી શકે. વિઘ્નરૂપે હોય એ વસ્તુ ધ્રુવરૂપે હોય નહીં, એ પહેલી શંકા. જો ઉત્પત્તિ, વિઘ્નતા અને ધ્રુવતા નથી તો જીવ કયા પ્રમાણથી સિદ્ધ કરશો ? એ બીજી શંકા. વિઘ્નતા અને ધ્રુવતાને પરસ્પર વિરોધાભાસ એ ત્રીજી શંકા. જીવ કેવળ ધ્રુવ છે તો ઉત્પત્તિમાં હા કહી એ અસત્ય અને ચોથો વિરોધ. ઉત્પન્ન યુક્ત જીવનો ધ્રુવ ભાવ કહો તો ઉત્પન્ન કોણે કર્યો ? એ પાંચમો વિરોધ.