SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર અધરાત ભાગતાં ચંદ્રનો ઉદય થયો. કપિલે પ્રભાત સમીપ જાણીને મૂઠીઓ વાળીને આશીર્વાદ દેવા માટે દોડતાં જવાં માંડ્યું. રક્ષપાળે ચોર જાણીને તેને પકડી રાખ્યો. એક કરતાં બીજું થઈ પડ્યું. પ્રભાત થયું એટલે રક્ષપાળે તેને લઈ જઈને રાજાની સમક્ષ ઊભો રાખ્યો. કપિલ બેભાન જેવો ઊભો રહ્યો; રાજાને તેનાં ચોરનાં લક્ષણ ભાસ્યાં નહીં. એથી એને સઘળું વૃત્તાંત પૂછ્યું. ચંદ્રના પ્રકાશને સૂર્ય સમાન ગણનારની ભકિતા પર રાજાને દયા આવી. તેની દરિદ્રતા ટાળવા રાજાની ઇચ્છા થઈ, એથી કપિલને કહ્યું, આશીર્વાદને માટે થઈ તારે જો એટલી તરખડ થઈ પડી છે, તો હવે તારી ઇચ્છા પૂરતું તું માગી લે; હું તને આપીશ. કપિલ થોડી વાર મૂઢ જેવો રહ્યો. એથી રાજાએ કહ્યું, કેમ વિપ્ર, કંઈ માગતા નથી ? કપિલે ઉત્તર આપ્યો, મારું મન હજુ સ્થિર થયું નથી; એટલે શું માંગવું તે સૂઝતું નથી. રાજાએ સામેના બાગમાં જઈ ત્યાં બેસીને સ્વસ્થતાપૂર્વક વિચાર કરી કપિલને માગવાનું કહ્યું. એટલે કપિલ તે બાગમાં જઈને વિચાર કરવા બેઠો. શિક્ષાપાઠ ૪૮. કપિલમુનિ-ભાગ ૩ ગત બે માસા સોનું લેવાની જેની ઇચ્છા હતી તે કપિલ હવે તૃષ્ણાતરંગમાં ઘસડાયો. પાંચ મહોર માગવાની ઇચ્છા કરી, તો ત્યાં વિચાર આવ્યો કે પાંચથી કાંઈ પૂરું થનાર નથી. માટે પંચવીશ મહોર માગવી. એ વિચાર પણ ફર્યો. પંચવીશ મહોરથી કંઈ આખું વર્ષ ઊતરાય નહીં, માટે સો મહોર માગવી. ત્યાં વળી વિચાર ફર્યો. સો મહોરે બે વર્ષ ઊતરી, વૈભવ ભોગવી, પાછાં દુઃખનાં દુઃખ માટે એક હજાર મહોરની યાચના કરવી ઠીક છે; પણ એક હજાર મહોરે છોકરાંખૈયાના બે ચાર ખર્ચ આવે કે એવું થાય તો પૂરું પણ શું થાય ? માટે દશ હજાર મહોર માગવી કે જેથી જિંદગી પર્યંત પણ ચિંતા નહીં. ત્યાં વળી ઈચ્છા ફરી. દશ હજાર મહોર ખવાઈ જાય એટલે પછી મૂડી વગરના થઈ રહેવું પડે. માટે એક લાખ મહોરની માગણી કરું કે જેના વ્યાજમાં બધા વૈભવ ભોગવું; પણ જીવ ! લક્ષાધિપતિ તો ઘણાય છે. એમાં આપણે નામાંકિત ક્યાંથી થવાના ? માટે કરોડ મહોર માગવી કે જેથી મહાન શ્રીમંતતા કહેવાય. વળી પાછો રંગ ફર્યો. મહાન શ્રીમંતતાથી પણ ઘેર અમલ કહેવાય નહીં. માટે રાજાનું અધ્ રાજ્ય માગવું. પણ જો અર્ધું રાજ્ય માર્ગીશ તોય રાજા મારા તુલ્ય ગણાશે; અને વળી હું એનો યાચક પણ ગણાઈશ. માટે માગવું તો આખું રાજ્ય માગવું. એમ એ તૃષ્ણાંમાં ડૂબ્યો; પરંતુ તુચ્છ સંસારી એટલે પાછો વળ્યો. ભલા જીવ ! આપણે એવી કૃતઘ્નતા શા માટે કરવી પડે કે જે આપણને ઇચ્છા પ્રમાણે આપવા તત્પર થયો તેનું જ રાજ્ય લઈ લેવું અને તેને જ ભ્રષ્ટ કરવો ? ખરૂં જોતાં તો એમાં આપણી જ ભ્રષ્ટતા છે. માટે અર્ધું રાજ્ય માગવું; પરંતુ એ ઉપાધિયે મારે નથી જોઈતી. ત્યારે નાણાંની ઉપાધિ પણ ક્યાં ઓછી છે ? માટે કરોડ લાખ મૂકીને સો બર્સે મહોર જ માગી લેવી. જીવ, સો બસેં મહોર હમણાં આવશે તો પછી વિષય વૈભવમાં વખત ચાલ્યો જશે; અને વિદ્યાભ્યાસ પણ ધર્યો રહેશે; માટે પાંચ મહોર હમણાં તો લઈ જવી, પછીની વાત પછી. અરે ! પાંચ મહોરનીયે હમણાં કંઈ જરૂર નથી; માત્ર બે માસા સોનું લેવા આવ્યો હતો તે જ માગી લેવું. આ તો જીવ બહુ થઈ. તૃષ્ણાસમુદ્રમાં તે બહુ ગળાં ખાધાં. આખું રાજ્ય માગતાં પણ તૃષ્ણા છીપતી નહોતી, માત્ર સંતોષ અને વિવેકથી તે ઘટાડી તો ઘટી. એ રાજા જો ચક્રવર્તી હોત તો પછી હું એથી વિશેષ શું માગી શકત ? અને વિશેષ જ્યાં સુધી ન મળત ત્યાં સુધી મારી તૃષ્ણા સમાત પણ નહીં; જ્યાં સુધી તૃષ્ણા સમાત નહીં ત્યાં સુધી હું સુખી પણ ન હોત. એટલેથીયે મારી તૃષ્ણા ટળે નહીં તો પછી બે માસાથી કરીને ક્યાંથી ટળે ? એનો આત્મા સવળીએ આવ્યો અને તે બોલ્યો, હવે મારે બે માસાનું પણ કંઈ કામ નથી; બે માસાથી વધીને હું કેટલે સુધી પહોંચ્યો ! સુખ તો સંતોષમાં
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy