________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૧૭ મું
૭૭
પ્રૌઢ અને વિવેકપૂર્વક વિચાર કરી શાસ્ત્ર જેટલું જ્ઞાન હૃદયગત કર્યું હોય તેવા મળવા દુર્લભ છે. તત્ત્વને પહોંચી જવું એ કંઈ નાની વાત નથી. કૂદીને દરિયો ઓળંગી જવો છે.
અર્થ એટલે લક્ષ્મી, અર્થ એટલે તત્ત્વ અને અર્થ એટલે શબ્દનું બીજું નામ. આવા અર્થ શબ્દના ઘણા અર્થ થાય છે. પણ ‘અર્થ’ એટલે ‘તત્ત્વ’ એ વિષય પર અહીં આગળ કહેવાનું છે. જેઓ નિગ્રંથપ્રવચનમાં આવેલા પવિત્ર વચનો મુખપાઠ કરે છે, તે તેઓના ઉત્સાહબળે સત્ફળ ઉપાર્જન કરે છે; પરંતુ જો તેનો મર્મ પામ્યા હોય તો એથી એ સુખ, આનંદ, વિવેક અને પરિણામે મહદ્ભુત ફળ પામે છે. અભણ પુરુષ સુંદર અક્ષર અને તાણેલા મિથ્યા લીટા એ બેના ભેદને જેટલું જાણે છે, તેટલું જ મુખપાઠી અન્ય ગ્રંથ-વિચાર અને નિગ્રંથ-પ્રવચનને ભેદરૂપ માને છે; કારણ તેણે અર્થપૂર્વક નિગ્રંથ વચનામૃતો ધાર્યાં નથી; તેમ તે પર યથાર્થ તત્ત્વવિચાર કર્યો નથી. યદિ તત્ત્વવિચાર કરવામાં સમર્થ બુદ્ધિપ્રભાવ જોઈએ છે, તોપણ કંઈ વિચાર કરી શકે; પથ્થર પીગળે નહીં તોપણ પાણીથી પલળે; તેમ જ જે વચનામૃતો મુખપાઠે કર્યાં હોય તે અર્થ સહિત હોય તો બહુ ઉપયોગી થઈ પડે; નહીં તો પોપટવાળું રામનામ, પોપટને કોઈ પરિચયે રામનામ કહેતાં શીખવાડે; પરંતુ પોપટની બલા જાણે કે રામ તે દાડમ કે દ્રાક્ષ. સામાન્યાર્થ સમજ્યા વગર એવું થાય છે. કચ્છી વૈશ્યોનું દૃષ્ટાંત એક કહેવાય છે તે કંઈક હાસ્યયુકત છે ખરું; પરંતુ એમાંથી ઉત્તમ શિક્ષા મળી શકે તેમ છે; એટલે અહીં કહી જઉં છું. કચ્છના કોઈ ગામમાં શ્રાવક ધર્મ પાળતા રાયશી, દેવી અને ખેતશી એમ ત્રણ નામધારી ઓશવાળ રહેતા હતા. નિયમિત રીતે તેઓ સંધ્યાકાળે, અને પરોઢિયે પ્રતિક્રમણ કરતા હતા. પરોઢિયે રાયશી અને સંધ્યાકાળે દેવશી પ્રતિક્રમણ કરાવતા હતા. રાત્રિસંબંધી પ્રતિક્રમણ રાયશી કરાવતો; અને સંબંધે ‘રાયશી પડિક્કમણું ઠાયંમિ', એમ તેને બોલાવવું પડતું; તેમજ દેવશીને ‘દેવસી પડિક્કમણું ઠાયંમિ’, એમ સંબંધ હોવાથી બોલાવવું પડતું. યોગાનુયોગે ઘણાના આગ્રહથી એક દિવસ સંધ્યાકાળે ખેતશીને બોલાવવા બેસાર્યો. ખેતશીએ જ્યાં ‘દેવસી પડિક્કમણું ઠાયંમિ', એમ આવ્યું ત્યાં ‘ખેતશી પડિઝ્મણું ઠાયંમિ', એ વાક્યો લગાવી દીધા ! એ સાંભળી બધા હાસ્યગ્રસ્ત થયા અને પૂછ્યું, આમ કાં ? ખેતશી બોલ્યોઃ વળી આમ તે કેમ ! ત્યાં ઉત્તર મળ્યો કે, ‘ખેતશી પડિક્કમણું ઠાયંમિ' એમ તમે કેમ બોલો છો ? ખેતશીએ કહ્યું, હું ગરીબ છું એટલે મારું નામ આવ્યું ત્યાં પાધરી તકરાર લઈ બેઠા, પણ રાયશી અને દેવશી માટે તો કોઈ દિવસ કોઈ બોલતા પણ નથી. એ બન્ને કેમ 'રાયશી પડિક્કમનું કાર્યર્મિ' અને 'દેવસી પડિક્કમણું હાયમિ' એમ કહે છે તો પછી હું ‘ખેતશી પડિક્કમણું ઠાયંમિ' એમ કાં ન કહું ? એની ભદ્રિકતાએ તો બધાને વિનોદ ઉપજાવ્યો; પછી અર્થની કારણ સહિત સમજણ પાડી; એટલે ખેતશી પોતાની મુખપાઠી પ્રતિક્રમણથી શરમાયો.
આ તો એક સામાન્ય વાર્તા છે; પરંતુ અર્થની ખૂબી ન્યારી છે. તત્ત્વજ્ઞ તે પર બહુ વિચાર કરી શકે. બાકી તો ગોળ ગળ્યો જ લાગે, તેમ નિર્ગુવચનામૃતો પણ સત્ફળ જ આપે. અહો ! પણ મર્મ પામવાની વાતની તો બલિહારી જ છે !
શિક્ષાપાઠ ૨૭. યત્ના
જેમ વિવેક એ ધર્મનું મૂળતત્ત્વ છે. તેમ યત્ના એ ધર્મનું ઉપતત્ત્વ છે. વિવેકથી ધર્મતત્ત્વ ગ્રહણ કરાય છે અને યત્નાથી તે તત્ત્વ શુદ્ધ રાખી શકાય છે, તે પ્રમાણે વર્તન કરી શકાય છે. પાંચ સમિતિરૂપ યત્ના તો બહુ શ્રેષ્ઠ છે; પરંતુ ગૃહસ્થાશ્રમીથી તે સર્વ ભાવે પાળી શકાતી નથી, છતાં જેટલા ભાવાંશે પાળી શકાય તેટલા ભાવાંશે પણ અસાવધાનીથી પાળી શકતા નથી. જિનેશ્વર