________________
કરે છે પરંતુ તે અટકવાનું સ્થાન નથી. તે વિકલ્પોને :
આ શાસ્ત્રની શરૂઆત કરતા આચાર્યદેવે
:
તોડીને પણ નિર્વિકલ્પ દશામાં વારેવાર જાય છે. .... માંગલિકરૂપે સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીને એવી શુદ્ધોપયોગરૂપ દશામાં અંતમુહૂર્ત ટકવા “નમોઽનેકાન્તાય’’ શબ્દ દ્વારા વસ્તુના અનેકાંત માટેનો પુરુષાર્થ ચાલુ જ રાખે છે. એવા મુનિને સ્વરૂપને પણ નમસ્કાર કર્યા હતા. વસ્તુનું અનેકાંત આચાર્યદેવ ભાવ નમસ્કાર કરે છે. સ્વરૂપ કેવું મહિમાવંત છે તેનો શાસ્ત્રની શરૂઆતમાં કદાચ ખ્યાલ ન આવે. પરંતુ જ્યારે જ્ઞેયતત્ત્વ પ્રજ્ઞાપન અધિકા૨ ધીરજથી અને સંપૂર્ણ જિજ્ઞાસા અને મધ્યસ્થતાથી અભ્યાસમાં લઈએ ત્યારે આપણને પણ
:
ભાવ નમસ્કારનું સ્વરૂપ એવું છે કે ત્યાં દ્વૈત નથી. દ્વૈતથી વિચારવું હોય તો આ પ્રમાણે વિચારી શકાય. ધ્યાતા પુરુષ પોતાનું ધ્યાન ક૨ે છે. શરૂઆતમાં વિકલ્પરૂપે પરંતુ આખરે નિર્વિકલ્પરૂપે પર્યાય (ધ્યાનરૂપ પર્યાય) પોતાના સ્વભાવનું ધ્યાન કરે છે એમ પણ કહેવાય છે. જ્ઞાતા-જ્ઞાન અને ક્ષેય ધ્યાતા-ધ્યાન અને ધ્યેય એ બધું જ્યારે અભેદ એકાકાર હોય છે તેને ભાવ નમસ્કાર કહેવામાં આવે છે. ત્યાં ધ્યાતા પુરુષ કર્તા છે. ધ્યાન એ ક્રિયા છે અને ધ્યેય (સ્વજ્ઞેય) એ કર્મ છે. આ રીતે કર્તાક્રિયા-કર્મ એક જ જીવમાં લીધા બાદ હવે બીજી
:
વસ્તુના અનેકાંત સ્વરૂપની કિંમત સમજાય છે. શાસ્ત્રની પૂર્ણાહુતિ કરવાના સમયે આચાર્યદેવ ફરીને એ અનેકાંત સ્વરૂપની આપણને યાદ દેવડાવે છે. ચરણાનુયોગ ચુલિકા અધિકારમાં ભાવલિંગનું અસલ સ્વરૂપ લક્ષમાં આવે અને ઉપયોગ પોતાના સ્વભાવમાં લીન કેવી રીતે થાય છે. એવી સાધકદશાની અંતિમ પ્રક્રિયાથી આપણે અભિભૂત થઈએ ત્યારે આચાર્યદેવ ફરીને આપણને અનેકાંત
રીતે વિચારીએ. પાત્ર જીવ (જ્ઞાની) પંચપરમેષ્ટિનું ધ્યાન કરે છે ત્યારે પહેલા ભેદરૂપ અને પછી અભેદરૂપ ધ્યાન હોય છે. ત્યાં સ્વ-૫૨નો ભેદ પણ ચાલ્યો જાય છે. પોતાની જાતને પંચપરમેષ્ટિ સાથે તદાકા૨ અનુભવે છે. પરમેષ્ટિને એ રીતે નમસ્કાર ક૨વા જતા એ પોતાના શુદ્ધાત્માને નમસ્કાર કરી લે છે. આ રીતે શુદ્ધોપયોગી મુનિ પોતે પણ ભાવ નમસ્કાર કરે છે. અને અહીં આચાર્યદેવ એ રીતે શુદ્ધોપયોગી મુનિને પણ ભાવ નમસ્કાર કરે છે. ‘ગ઼મો લોએ ત્રિકાળવર્તી સવ્ય સાહુણમ્'’ એ પદ, એ દશા સદાય નમસ્કારને યોગ્ય છે.
ગા
- ૨૫
સાકાર અણુ-આકાર ચર્ચાયુક્ત આ ઉપદેશને, જે જાણતો, તે અલ્પ કાળે સાર પ્રવચનનો લહે. ૨૭૫.
જે સાકાર-અનાકાર યુક્ત વર્તતો થકો આ ઉપદેશને જાણે છે, તે અલ્પકાળે પ્રવચનના સારને (ભગવાન આત્માને) પામે છે.
૧૪૮
:
·
વસ્તુ સ્વરૂપની યાદ દેવડાવે છે. પાત્ર જીવ જો આચાર્યદેવના મૂળ આશયને સમજયો હોય તો તેના હૃદયમાં અનેકાંત સ્વરૂપ ગૂંથાઈ ગયું હોય. તેને એ ખ્યાલ આવી જાય કે શાસ્ત્રની દરેક ગાથામાં આચાર્યદેવ બંધારણ જ રજૂ કરે છે. વસ્તુના મૂળ બંધારણને વફાદાર રહીને જ પ્રતિપાદન કરે છે.
વિશ્વમાં સત્તા (સ્વરૂપ અસ્તિત્વરૂપ સત્તા) તો પ્રમાણ જ્ઞાનના વિષયભૂત પદાર્થને જ મળે છે. તેમાં દ્રવ્ય, ગુણ, પર્યાય, ઉત્પાદ, વ્યય, ધ્રુવ એવા અતદ્ભાવરૂપ ભેદો (જે નયજ્ઞાનના વિષયો થાય છે તે) બધા પદાર્થોની સત્તા પાસે એકરૂપ-એકરસ થઈને જોવા મળે છે. અનેકાંત એવા વસ્તુ સ્વરૂપને સમજાવવા માટે સ્યાદવાદ શૈલી જ યોગ્ય છે. જે નયવિભાગથી વસ્તુ સ્વરૂપને સમજાવે છે. સામાન્ય વિશેષ, અન્વય, વ્યતીરેક, નિશ્ચય, વ્યવહા૨, અભેદ-ભેદ, મહાસત્તા-અવાંતરસત્તા, સત્-અસત્, તત્-અતત્ જેટલા કાંઈ ભેદ વિચારવામાં આવે તેવા
ચરણાનુયોગસૂચક ચૂલિકા