________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દિનેશ- મેં સાંભળ્યું છે કે સિદ્ધચક્ર-વિધાનથી કુષ્ટ રોગ મટી જાય છે. કહેવાય છે કે શ્રીપાલ અને તેમના સાતસો સાથીઓનો કોઢ એનાથી જ મટી ગયો હતો. તેમની (શ્રીપાલની ) ધર્મપત્ની મૈનાસુન્દરીએ સિદ્ધચક્રનો પાઠ કરીને ગંધાદક તેમની ઉપર છાંટયું અને કોઢ અદશ્ય થયો.
જિનેશ– સિદ્ધચક્રનો મહિમા માત્ર કુષ્ટ રોગ મટાડવા જેટલો જ મર્યાદિત કરવો તે તેની મહત્તા ઘટાડવા બરાબર છે. કોઢ તો શરીરનો રોગ છે. આત્માનો કોઢ તો રાગ-દ્વેષ-મોહ છે. જે આત્મા સિદ્ધોનું સાચું સ્વરૂપ જાણીને તેમના જેવા પોતાના આત્માને ઓળખીને તેમાં જ લીન થઈ જાય તેનાં જન્મ-મ૨ણ અને રાગ-દ્વેષ-મોહ જેવા મહારોગ પણ મટી જાય છે.
સિદ્ધોની આરાધનાનું સાચું ફળ તો વીતરાગ ભાવની વૃદ્ધિ થવી તે છે કેમ કે તેઓ પોતે વીતરાગ છે. સિદ્ધોનો સાચો ભક્ત તેમની પાસેથી લૌક્કિ લાભની ઈચ્છા રાખતો નથી. તોપણ તેને અતિશય પુણ્યનો બંધ તો થાય જ છે અને તેના વડે તેને લૌક્કિ અનુકૂળતા પણ પ્રાપ્ત થાય છે, પણ તેની દૃષ્ટિમાં તેનું કોઈ મહત્ત્વ નથી.
દિનેશ- હું તો સમજતો હતો કે તહેવા૨ ખાવા-પીવા અને મોજ ઉડાવવા માટે જ હોય છે, પણ આજે સમજવામાં આવ્યું કે ધાર્મિક પર્વ તો વીતરાગતાની વૃદ્ધિ કરનાર સંયમ અને સાધનાનાં પર્વ છે. ઠીક, હું પણ તમારી જેમ આ
દિવસોમાં સંયમથી રહીશ અને આત્મ-તત્ત્વને સમજવાનો પ્રયાસ કરીશ.
પ્રશ્ન
૧. ધાર્મિક પર્વ કેવી રીતે ઉજવવામાં આવે છે?
૨. અષ્ટાલિકા સંબંધમાં તમારા વિચારો પ્રગટ કરો.
૩. નન્દીશ્વર દ્વીપ કયાં છે? તેમાં શું છે?
૪. આ પર્વ કયારે કયારે ઉજવવામાં આવે છે?
૫. સિદ્ધચક્ર કોને કહે છે? સિદ્ધોની આરાધનાનું ફળ શું છે?
૬. શું તમે કોઈ વાર સિદ્ધચક્રનો પાઠ થતો જોયો છે? તેમાં શું થાય છે? તે સમજાવો.
૪૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com