SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates યોગ્ય આચરણ કરનાર સત્પુરુષને રાગાદિ ભાવો નહીં હોવાથી કેવળ પરપ્રાણપીડન હોવાથી હિંસા થતી નથી અને અયત્નાચાર (અસાવધાની ) પ્રવૃત્તિવાળા જીવને, અન્ય જીવ મરે કે ન મરે હિંસા અવશ્ય થાય છે. કેમ કે તે કષાય ભાવોમાં પ્રવૃત્ત રહીને આત્મઘાત તો કરતો જ રહે છે અને “આત્મઘાતી મહાપાપી કહેવાય છે. અહીં કોઈ કહી શકે છે કે જ્યારે બીજા જીવના મરવા કે ન મરવાની સાથે હિંસાનો કાંઈ સંબંધ નથી તો પછી હિંસાનાં કાર્યોથી બચવાની શી જરૂર છે? બસ પરિણામ જ શુદ્ધ રાખ્યા કરીએ. એનો ઉત્તર આપતાં આચાર્ય કહે છે सूक्ष्मापि न खलु हिंसा परवस्तु निबंधना भवति पुंसः । हिंसायतन निवृत्ति परिणाम विशुद्धये तदपि कार्या ।। ,, જો કે ૫૨વસ્તુને કા૨ણે રંચમાત્ર પણ હિંસા થતી નથી છતાં પણ પરિણામોની શુદ્ધિ માટે હિંસાનાં સ્થાન પરિગ્રહાદિકને છોડી દેવાં જોઈએ. વ્યવહા૨માં જેને હિંસા કહે છે-જેમ કે કોઈને સતાવવા, દુ:ખ દેવું વગેરે હિંસા ન હોય-એમ વાત નથી. તે તો હિંસા છે જ કેમકે તેમાં પ્રમાદનો યોગ રહે છે. પણ આપણું લક્ષ તેની ઉપર જ કેન્દ્રિત થઈ જાય છે અને આપણે અંતર્તમમાં થતી ભાવહિંસા તરફ દષ્ટિ દેતા નથી, તેથી અહીં વિશેષ કરીને અંતરમાં થતી રાગાદિ ભાવરૂપ ભાવહિંસા તરફ ધ્યાન ખેંચવામાં આવે છે. જે જીવને બાહ્ય સ્થૂળહિંસાનો પણ ત્યાગ નહીં હોય, તે તો આ અન્તરની હિંસાને સમજી જ નહીં શકે. તેથી ચિત્તશુદ્ધિને માટે અભક્ષ્ય ભક્ષણ આદિ અને રાત્રિભોજનાદિ હિંસક કાર્યોનો ત્યાગ તો અતિ આવશ્યક છે જ તથા મધ, માંસ, મધ અને પાંચ ઉદુમ્બર ફળનો ત્યાગ પણ આવશ્યક છે, કેમકે એના સેવનથી અનંત ત્રસ જીવોનો ઘાત થાય છે તથા પરિણામોમાં ક્રૂરતા આવે છે. અહિંસક વૃત્તિવાળા મંદ કષાયી જીવને આ જાતની નિરંકુશ પ્રવૃત્તિ હોઈ શકતી નથી. ૩૫ Please inform us of any errors on rajesh@Atma Dharma.com
SR No.008324
Book TitleVitrag Vigyana Pathmala 2
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year1986
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size677 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy