________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
તેમનો સંસ્કૃત ભાષા ઉપર અપૂર્વ કાબુ હતો. તેમની ગદ્ય અને પદ્ય બન્ને પ્રકારની રચનાઓમાં તેમની ભાષા ભાવને અનુસરતી અને સહજમાં સમજાય તેવી, માધુર્ય ગુણવાળી છે, તેઓ આત્મરસમાં નિમગ્ન રહેનાર મહાત્મા હતા, તેથી તેમની રચનાઓ અધ્યાત્મ-૨સથી ઓતપ્રોત છે.
તેમના બધા ગ્રંથ સંસ્કૃત ભાષામાં છે. તેમની રચનાઓ ગધ અને પધ બન્ને પ્રકારની મળે છે. ગદ્ય રચનાઓમાં આચાર્ય કુકુન્દના મહાન ગ્રંથો ઉપર લખેલી ટીકાઓ છે -
૧. સમયસાર ટીકા-જે “આત્મખ્યાતિ ” ના નામે જાણીતી છે.
૨. પ્રવચનસાર ટીકા-જેને “તાત્પર્ય દીપિકા ” કહે છે.
૩. પંચાસ્તિકાય ટીકા-જેનું નામ “સમય વ્યાખ્યા ” છે.
૪. તત્ત્વાર્થસાર-આ ગ્રંથ ગૃહપિચ્છ ઉમાસ્વામીના ગધસૂત્રોનો એક રીતે તો પધાનુવાદ છે.
૫. પુરુષાર્થ સિદ્ધયુપાય-ગૃહસ્થ ધર્મ ઉપર તેમનો મૌલિક ગ્રંથ છે. તેમાં હિંસા અને અહિંસાનું ઘણું જ તથ્યપૂર્ણ વિવેચન કરવામાં આવ્યું છે. પ્રસ્તુત નિબંધ તેમના ગ્રંથ પુરુષાર્થ સિદ્ધયુપાયના આધારે લખેલો છે.
૩૩
Please inform us of any errors on rajesh@Atma Dharma.com