________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
તૈયાર થઈ ગઈ હતી, જેમાં મોટા ભાગે શૃંગાર રસનું જ વર્ણન હતું. એ શૃંગાર રસની એક ઉત્કૃષ્ટ કૃતિ હતી. વિવેક જાગૃત થયા પછી કવિએ તેને ગોમતી નદીમાં વહેવડાવી દીધી હતી.
ત્યાર પછી તેમનું જીવન અધ્યાત્મમય થઈ ગયું અને ત્યાર પછીની રચેલી ચાર રચનાઓ પ્રાપ્ત છે ‘બનારસી વિલાસ', ‘નામમાલા' નાટક સમયસાર',
અને ‘ અર્ધકથાનક'.
-
(
‘નાટક સમયસાર' અમૃતચંદ્રાચાર્યનાં કળશોનો એક રીતે પદ્યાનુવાદ છે. પણ કવિની મૌલિક સમજશક્તિને લીધે એના અધ્યયનમાં સ્વતંત્ર રચના જેવો આનંદ આવે છે. આ ગ્રંથરાજ અધ્યાત્મ રસથી તરબોળ છે.
6
‘ અર્ધકથાનક’ હિન્દી ભાષાનું પ્રથમ આત્મ-(પોતાનું) ચરિત્ર છે જે સ્વયં એક અતિ પ્રૌઢ રચના છે. એમાં કવિનું ૫૫ વર્ષનું જીવન અરીસાની પેઠે વર્ણવાયું છે.
‘બનારસી વિલાસ' કવિની અનેક રચનાઓનો સંગ્રહ-ગ્રંથ છે અને નામમાલા' કોષ-કાવ્ય છે.
કવિ પોતાની આત્મ-સાધના અને કાવ્ય-સાધના બંનેમાં અજોડ છે.
૨૮
Please inform us of any errors on rajesh@Atma Dharma.com