SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ 6 સાત વ્યસન કવિવર પં. બનારસીદાસજી (વ્યક્તિત્વ અને કર્તુત્વ) અધ્યાત્મ અને કાવ્ય બન્ને ક્ષેત્રમાં સર્વોચ્ચ પ્રતિષ્ઠા પામેલા પં. બનારસીદાસજી સત્તરમી શતાબ્દીના રસસિદ્ધ કવિ અને આત્માનુભવી વિદ્વાન હતા. તેમનો જન્મ શ્રીમાલ વંશમાં લાલા ખરગસેનને ત્યાં સં. ૧૬૪૩ માં માહ સુદ અગિયારસ અને રવિવારે થયો હતો. તે વખતે એમનું નામ વિક્રમજીત રાખવામાં આવ્યું હતું. પણ બનારસની યાત્રા વખતે પાર્શ્વનાથની જન્મભૂમિ વારાણસીના નામ ઉપરથી એમનું નામ બનારસીદાસ રાખવામાં આવ્યું. તેઓ પોતાના માબાપના એક માત્ર સંતાન હતા. તેમણે પોતાના જીવનમાં ઘણી ચડતી-પડતી જોઈ હતી. આર્થિક વિષમતાનો સામનો પણ તેમને ઘણીવાર કરવો પડ્યો હતો અને તેમનું કૌટુમ્બિક જીવન પણ કાંઈ સારું નહોતું. તેમનાં ત્રણ વાર લગ્ન થયાં, નવ સંતાન થયાં-સાત પુત્રો અને બે પુત્રીઓ પણ એકેય જીવતું ન રહ્યું. આવી વિષમ સ્થિતિમાં પણ તેમનું ધૈર્ય નાશ પામ્યું નહિ કેમ કે તેઓ આત્માનુભવી પુરુષ હતા. કાવ્યની પ્રતિભા તો તેમને જન્મથી જ મળેલી હતી. ૧૪ વર્ષની ઉમરે તેઓ ઉચ્ચ પ્રકારની કવિતા કરવા લાગ્યા હતા, પણ શરૂઆતના જીવનમાં શૃંગારિક કવિતાઓમાં મગ્ન રહ્યા. તેમની સર્વ પ્રથમ રચના “નવરસ” ૧૪ વર્ષની ઉમરે ર૭. Please inform us of any errors on [email protected]
SR No.008324
Book TitleVitrag Vigyana Pathmala 2
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year1986
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size677 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy