________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચાર અનુયોગ વિદ્યાર્થી- મોક્ષમાર્ગ પ્રકાશકમાં કોની વાર્તા છે? શિક્ષક- મોક્ષમાર્ગ પ્રકાશકમાં વાર્તા થોડી જ છે? તેમાં તો મોક્ષનો માર્ગ બતાવ્યો
વિદ્યાર્થી- ઠીક, તો મોક્ષમાર્ગ પ્રકાશક શું શાસ્ત્ર નથી ? શિક્ષક- કેમ? વિદ્યાર્થી- શાસ્ત્રમાં તો કથાઓ હોય છે. મારા પિતાજી તો કહેતા હતા કે મંદિર
જતા રહો. ત્યાં સાંજે શાસ્ત્ર વંચાય છે, તેમાં સારી સારી વાર્તાઓ આવે
છે. શિક્ષક- હા, હા, શાસ્ત્રોમાં મહાપુરુષોની કથાઓ પણ હોય છે. જે શાસ્ત્રોમાં
મહાપુરુષોના ચરિત્ર દ્વારા પુણ્ય-પાપનાં ફળનું વર્ણન હોય છે અને અંતે વીતરાગતાને હિતકારી બતાવવામાં આવે છે, તેને પ્રથમાનુયોગના શાસ્ત્ર
કહે છે. વિદ્યાર્થી- તો શું શાસ્ત્ર જુદા જુદા પ્રકારના હોય છે? શિક્ષક- શાસ્ત્ર તો જિનવાણીને કહે છે. તેમાં તો વીતરાગતાનું પોષણ હોય છે.
તેનું કથન કરવાની રીત ચાર છે; તેને અનુયોગ કહે છે. પ્રથમાનુયોગ,
કરણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ. વિદ્યાર્થી- અમને તો વાર્તાઓ વાળું શાસ્ત્ર જ સારું લાગે છે, તેમાં ખૂબ આનંદ
આવે છે. શિક્ષક- ભાઈ, શાસ્ત્રનું સારાપણું તો વીતરાગતારૂપ ધર્મના વર્ણનમાં છે, કોરી
વાર્તાઓમાં નહિ. વિદ્યાર્થી- તો પછી આ કથાઓ શાસ્ત્રમાં લખી જ શા માટે ? શિક્ષક- તમે જ કહેતા હતા કે અમારું મન કથાઓમાં ખૂબ લાગે છે. વાત એ જ
છે કે રાગી જીવોનું મન કેવળ વૈરાગ્યના કથનમાં લાગતું નથી. તેથી જેવી રીતે બાળકને પતાસા સાથે દવા આપે છે, તેવી જ રીતે તુચ્છ બુદ્ધિવાળા જીવોને કથાઓ દ્વારા ધર્મ (વીતરાગતા) માં રુચિ કરાવે છે
૧૮
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com