________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
કોઈને કહેવાતું નથી. જે કાર્ય થઈ ગયું છે તેમાં નિમિત્ત શું કરે? અને કાર્ય થયા પહેલાં નિમિત્ત કોનું? કુંભાર કોનું નિમિત્ત છે? જો ઘડારૂપી કાર્ય થાય તો કુંભાર તેનું નિમિત્ત છે, પણ જો ઘડારૂપી કાર્ય જ ન થાય તો કુંભાર તેનું નિમિત્ત નથી. ઘડો થયા પહેલાં તો કોઈને ‘ઘડાનું નિમિત્ત' કહી શકાય જ નહિ અને જો ઘડો થાય છે ત્યારે જ કુંભારને નિમિત્ત કહેવાય છે, તો પછી કુંભારે ઘડામાં કાંઈ પણ કર્યું એ વાત સ્વયમેવ અસત્ ઠરે છે.
પ્રશ્ન:- ઉપાદાનમાં કાર્ય ન થાય તો પરદ્રવ્યને નિમિત્ત કહેવાતું નથી એમ ઉપર કહ્યું; ‘આ જીવને અનંતવા૨ ધર્મનાં નિમિત્તો મળ્યાં છતાં જીવ પોતે ધર્મ સમજયો નહિ' એમ કહેવાય છે, અને તેમાં જીવને ધર્મરૂપી કાર્ય થયું નથી છતાં પરદ્રવ્યો ધર્મનાં નિમિત્ત તો કહ્યાં છે?
ઉત્તર:- ‘આ જીવને અનંતવાર ધર્મનાં નિમિત્તો મળ્યાં પણ પોતે ધર્મ સમજ્યો નહિ' એમ કહેવાય છે, ત્યાં જો કે ઉપાદાન ( જીવમાં ) ધર્મરૂપી કાર્ય થયું નથી તેથી ખરેખર તેને માટે તે પદાર્થો ધર્મનાં નિમિત્ત નથી. પરંતુ જે જીવો ધર્મ પ્રગટ કરે છે તે જીવોને એવા પ્રકારનાં નિમિત્તો જ હોય છે એવું જ્ઞાન કરાવવા માટે, કાર્ય ન થયું હોવા છતાં સ્થૂળ દષ્ટિએ તેને નિમિત્ત કહેવામાં આવે છે.
૫૯. અનુકૂળ નિમિત્ત
ઊકળતા તેલમાં હાથ દાઝયો ત્યાં હાથને દાઝવા માટે ઊકળતું તેલ અનુકૂળ નિમિત્ત છે. ઘડો ફૂટવામાં ધોકો વગેરે અનુકૂળ નિમિત્ત છે. અમુક પદાર્થને અનુકૂળ નિમિત્ત કહ્યું તેથી તે સિવાયના બીજા પદાર્થો પ્રતિકૂળ છે એમ ન સમજવું. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અનુકૂળ કે પ્રતિકૂળ તો છે જ નહિ. નિમિત્તને અનુકૂળ કહેવાનો અર્થ એટલો જ છે કે, તે પદાર્થ કાર્ય થતી વખતે સદ્દભાવરૂપ હોય છે અને વ્યવહારદષ્ટિએ અનુકૂળતાનો આરોપ તેના ઉપર આવી શકે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com