________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થ ભાસે છે, પરંતુ વિશ્વના સર્વભાવોના નિયતપણાનો નિર્ણય જેમાં ગર્ભિત છે એવી દ્રવ્યસામાન્યની શ્રદ્ધા કરી તેમાં ડૂબી જવારૂપ જે યથાર્થ પરમ પુરુષાર્થ તે તેને ખ્યાલમાં જ આવતો નથી.
વળી, જીવોએ આગમોમાંથી ઉપરોક્ત વાતોની ધારણા પણ અનંત વાર કરી લીધી છે પરંતુ સર્વ આગમોના સારભૂત સ્વદ્રવ્યસામાન્યનો યથાર્થ નિર્ણય કરી તેની રુચિરૂપે પરિણમત કર્યું નથી. જે તે-રૂપે પરિણમન કર્યું હોત તો સંસાર પરિભ્રમણ હોત નહિ.
-આવી વસ્તુવિજ્ઞાનની અનેક પરમહિતકારક રહસ્યભૂત સારરૂપ હકીકતો આ પુસ્તિકામાં સ્પષ્ટ રીતે સમજાવવામાં આવી છે તેથી આ પુસ્તિકાનું નામ “વસ્તુવિજ્ઞાનસાર' રાખવામાં આવ્યું છે. પરમ પૂજ્ય પરમોપકારી સદગુરુદેવ શ્રી કાનજીસ્વામી સોનગઢમાં હંમેશાં મુમુક્ષુઓ સમક્ષ જે આધ્યાત્મિક પ્રવચનો કરે છે તેમાંથી કેટલાંક વસ્તુવિજ્ઞાનના સારભૂત પ્રવચનો આમાં પ્રકાશિત કરવામાં આવ્યાં છે. જે મુમુક્ષુઓ તેમાં કહેલા વિજ્ઞાનસારને અભ્યાસી, ચિંતન કરી, નિબંધ યુક્તિરૂપ પ્રયોગથી સિદ્ધ કરી, નિર્મીત કરી, ચૈતન્યસામાન્યની રુચિપણે પરિણમી તેમાં લીન થશે, તે અવશ્ય શાશ્વત પરમાનંદદશાને પામશે.
જે જીવો દૈહિક ક્રિયાકાંડમાં કે બાહ્ય પ્રવૃત્તિઓમાં ધર્મનો અંશ પણ માનતા હોય, જે જીવો વૈરાગ્ય-ભક્તિ આદિ શુભ ભાવમાં ધર્મ માનતા હોય, જે જીવો શુભ ભાવમાં ધમનું કિંચિત્માત્ર કારણપણું માનતા હોય, જે જીવો નિર્ણય વિના શાસ્ત્રોની માત્ર ધારણા કરવાથી કિંચિત્ ધર્મ માનતા હોય, તે તે સર્વ પ્રકારના જીવો આ પુસ્તિકામાં કહેલા પરમપ્રયોજનભૂત ભાવોને જિજ્ઞાસુભાવે શાંતિથી ગંભીરપણે વિચારો અને અનંતકાળથી રહી ગયેલી મૂળભૂત ભૂલ કેટલી સૂક્ષ્મ છે તેમ જ કયા પ્રકારનો અપૂર્વ પર સમ્યક્ પુરુષાર્થ માગે છે તે સમજી નિજ કલ્યાણ કરો. તેમાં જ આ માનવજીવનનું સાફલ્ય છે. માગશર સુદ ૧૫
રામજી માણેકચંદ દોશી વિ. સં. ૨૦૦૪ પ્રમુખ, શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com