________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થ
૩૧
––––––––
અંધારું નહિ ટળે તો? એવી શંકા, કરે તે મૂર્ખ છે. તેવી રીતે “હું પુરુષાર્થ કરું અને કર્મની સ્થિતિ લાંબો કાળ રહેવાની હોય તો? આવી શંકા જેને પડ તેને પુરુષાર્થની પ્રતીત નથી, તે મિથ્યા દષ્ટિ છે. કર્મનો ક્રમબદ્ધ પર્યાય એવો જ છે કે જીવ પુરુષાર્થ કરે ત્યારે તે સ્વયં ટળી જ જાય. “કર્મ લાંબો કાળ રહેવાનાં હોય તો? “એ દષ્ટિ તો યરમાં લંબાણી, અને તેમ શંકા કરનારે પોતાના પુરુષાર્થને પરાધીન માન્યો છે. તને તારા આત્માના પુરુષાર્થથી પ્રતીત છે કે નહિ? હું મારા સ્વભાવના પુરુષાર્થની કેવળજ્ઞાન પ્રગટ કરું છું, અને હું મારી કેવળજ્ઞાનદશા પ્રગટ કરું ત્યારે ઘાતકર્મો હોય જ નહિ, એવો નિયમ છે. જેને ઉપાદાનની શ્રધ્ધા હોય તેને નિમિત્તની શંકા હોય જ નહિ. નિમિત્તની શંકામાં જે રોકાણો છે તેણે ઉપાદાનનો પુરુષાર્થ જ કર્યો નથી. ઉપાદાન તે નિશ્ચય છે અને નિમિત્ત તે વ્યવહાર છે.
નિશ્ચયનય આખા દ્રવ્યને લક્ષમાં લે છે. આખા દ્રવ્યની શ્રદ્ધામાં કેવળજ્ઞાનથી ઊણપનો સ્વીકાર જ ક્યાં છે? ક્રમબદ્ધ પર્યાયની શ્રધ્ધામાં કેવળજ્ઞાનથી ઊણી દશાની પ્રતીત જ નથી. માટે ક્રમબદ્ધ પર્યાયની શ્રધ્ધામાં કેવળજ્ઞાન જ છે.
કેવળજ્ઞાની નિશ્ચયથી તો સંપુર્ણ આત્મજ્ઞ જ છે, વ્યવહારથી સર્વજ્ઞ છે. સંપુર્ણ આત્મજ્ઞ છે તો તેઓ સર્વજ્ઞ કહેવાય છે. આત્મજ્ઞતા વગર સર્વજ્ઞતા હોઈ શકે નહિ.
હવે, સર્વજ્ઞ તો બધી જ વસ્તુના પર્યાયો ક્રમને જાણે છે. તેથી નીચલી દશામાં પણ જે “બધી વસ્તુના ક્રમબદ્ધ પર્યાય છે” એમ પ્રતીતમાં લે છે તે જીવ સર્વજ્ઞતાને સ્વીકાર છે, અને જે સર્વશતા સ્વીકારે છે તે આત્મજ્ઞ જ છે. કેમકે સર્વજ્ઞતા કદી પણ આત્મજ્ઞતા વગર હોતી નથી. જે જીવ વસ્તુના સંપૂર્ણ ક્રમબદ્ધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com