________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨
ભગવાન શ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
---
અંશ સાથે અંશીનું અભેદપણું અહીં બતાવવું છે. “આ જ્ઞાનનો ભાગ છે તે પુર્ણ જ્ઞાનનો અંશ ન હોય તો તે અંશ છે' એમ નક્કી ક્યાંથી કર્યું? વર્તમાન અંશમાં આખું અંશી અભેદપણે લક્ષમાં આવી ગયું છે, તેથી આ અંશ આ અંશીનો છે” એમ જીવ પ્રતીત કરે છે.
વર્તમાન અંશ અને પૂર્ણ અંશીનો અભેદ ભાવ છે, બીજા અશના ભેદ ભાવની વાત અહીં લીધી નથી. અંશીમાં બધા અંશ આવી ગયા. અહીં મતિજ્ઞાન અને કેવળજ્ઞાનનું અભેદપણું બતાવ્યું છે. મતિજ્ઞાન અંશ છે અને કેવળજ્ઞાન અંશી છે, અંશ-અંશી અભેદ છે એટલે મતિજ્ઞાનમાં કેવળજ્ઞાન પ્રત્યક્ષ આવ્યું એમ સમજવું.
સ્વાધીનતાની પ્રતીતમાં કેવળજ્ઞાન આચાર્ય ભગવાન આત્માનો સ્વાધીન પુર્ણ સ્વભાવ બતાવે છે. તું આત્મા છો, તારો જ્ઞાન સ્વભાવ છે, તે જ્ઞાન સ્વભાવની વિશેષ અવસ્થા તારા પોતાના સામાન્ય સ્વભાવના અવલંબને થાય છે. સામાન્ય સ્વભાવના અવલંબને વિશેષરૂપ જે મતિજ્ઞાન પ્રગટયું તે પુર્ણ કેવળજ્ઞાન સાથે અભેદ સ્વભાવવાળું છે. નિમિત્તના અને રાગના અવલંબન વગરનું સામાન્યના અવલંબનવાળું જ્ઞાન સ્વાધીન સ્વભાવવાળું છે. મતિ અને કેવળ વચ્ચેના ભેદને ગણતું નથી. આ વાત બેસી તેને કેવળજ્ઞાન વચ્ચે વિદન હોય જ નહિ. આ તીર્થકર કેવળજ્ઞાનીનીવાણી કેવળજ્ઞાનના ભણકારા કરતી આવી છે. આચાર્યદેવો ને કેવળજ્ઞાનના ભણકાર થઈ રહ્યા છે, વચ્ચે ભવ છે ને કેવળજ્ઞાનનો ભંગ પડે છે એ વાત જ અહીં ગૌણ કરી છે. અહીં તો સામાન્ય સ્વભાવના જોરે જ અંશ પ્રગટયો તે અંશ સાથે જ કેવળજ્ઞાન અભેદ છે એમ કેવળજ્ઞાનની વાત કરી છે. કેવળજ્ઞાનીઓની કેવળજ્ઞાનને જ ભણકાર કરતી વાણી આવી છે અને કેવળજ્ઞાનના વારસા લેનારા આચાર્યોએ આ વાત પરમાગમ શાસ્ત્રોમાં સંઘરી છે. તું પણ કેવળજ્ઞાન લેવાની તૈયારીવાળો જ છો, તારા સ્વભાવના ભરોસે હા પાડ! પોતાના સ્વભાવની પ્રતીત વગર પુર્ણ પ્રત્યક્ષનો ભરોસો જાગે નહિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com