________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિવેદન આ કૃતિ પંડિત ટોડરમલ સ્મારક ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત અને વીતરાગ-વિજ્ઞાન વિદ્યાપીઠ પરીક્ષા બોર્ડના પાઠયક્રમમાં નિર્ધારિત બાલબોધ પાઠમાલા ભાગ ૧-૨-૩ વીતરાગ-વિજ્ઞાન પાઠમાલા ભાગ ૧-૨-૩ અને તત્ત્વજ્ઞાન-પાઠમાલા ભાગ ૧ પછીનું આઠમું પુસ્તક છે. તેથી આ પુસ્તકનું નિર્માણ ઉપરોક્ત સાત પુસ્તકોના પૂર્વજ્ઞાનને આધારરૂપ માનીને થયું છે, સાથે સાથે ઉપરોકત પરીક્ષા બોર્ડની વિશારદ પરીક્ષાના અભ્યાસક્રમને પણ લક્ષમાં રાખવામાં આવેલ છે.
બાલબોધ પાઠમાલાઓ અને વીતરાગ-વિજ્ઞાન પાઠમાલાઓનાં, ચારથી પાંચ વર્ષના થોડા જ સમયમાં, કેટલાંય સંસ્કરણોનું બહાર પડવું અને ત્રણ લાખથી પણ વધારે પુસ્તકોનું વેચાણ થવું-એ તે પાઠમાળાઓની લોકપ્રિયતાનું પ્રત્યક્ષ પ્રમાણ છે અને તેનાથી અમને આ કાર્યમાં પ્રોત્સાહુન મળ્યું છે. તેથી તે પુસ્તકોની જેમ આ પુસ્તકને પણ સર્વાંગસુંદર અને ઉપયોગી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એના પાઠોની પસંદગીમાં ચારેય અનુયોગોને સમાન રીતે પ્રતિનિધિત્વ તો આપવામાં આવ્યું છે, સાથે સાથે સાચાં દેવ-શાસ્ત્ર-ગુરુ પ્રત્યે ભકિત અને બહુમાન ઉત્પન્ન કરવાના હેતુથી સ્તોત્ર સંબંધી પાઠ પણ રાખવામાં આવેલ છે.
વિદ્ધવર્ય શ્રી ખીમચંદ જેઠાલાલ શેઠ સોનગઢ, સિદ્ધાંતાચાર્ય પંડિત ફૂલચંદજી વારાણસી, પં. રતનચંદજી શાસ્ત્રી, ન્યાયતીર્થ, એમ. એ. વિદિશા; શ્રી નેમીચંદજી પાટની આગરા-સર્વેએ આ પુસ્તક માટે પાઠો લખવાની અત્યંત કૃપા કરી છે અને સંસ્થાના સુયોગ્ય સંયુકત મંત્રી ડૉ. હુકમચંદજી ભારિલ, શાસ્ત્રી, ન્યાયતીર્થ, સાહિત્યરત્ન, એમ. એ. પી.એચ.ડી. એ પુસ્તકનું સુનિયોજિત સંપાદન અને બાકીના પાઠોનું લેખન કર્યું છે. ઉપરોક્ત બધાય મહાનુભાવોનો અમે હાર્દિક આભાર માનીએ છીએ.
જો જિજ્ઞાસુ પાઠકોને આનાથી થોડો પણ લાભ મળશે તો અમો અમારા પ્રયાસને સફળ લેખીશું.
નિવેદકો :નેમીચંદ પાટની
પૂરણચંદ ગોદીકા મંત્રી
અધ્યક્ષ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com