________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમર્પણ
આ ભૌતિકવાદી યુગમાં, જ્યારે સમસ્ત જગત ભોગ-સન્મુખ થઇ રહ્યું છે અને અશાન્તિની જ્વાળાથી સંતસ છે, એવા સમયમાં જેમણે આધ્યાત્મિકતાનો પ્રચાર અને પ્રસાર કરીને અપૂર્વ આત્મશાંતિનો માર્ગ પ્રશસ્ત કર્યો છે, પોતે નિરંતર આત્મ-સાધનામાં લીન છે તથા મોહમાં ઘેલા અમારા જેવાં પામર પ્રાણીઓને જેમણે મુકિતનો માર્ગ બતાવીને મહાન-મહાન ઉપકાર કર્યો છે; પરમ પૂજ્ય આચાર્ય ધરસેન, કુંદકુંદ, ઉમાસ્વામી, સમન્તભદ્ર, અમૃતચંદ્ર, નેમિચન્દ્ર આદિ વીતરાગી દિગંબર મુનિવરોમાં જેમને અપાર ભકિત છે અને પંડિત પ્રવર પાડે રાજમલજી, કવિવર પં. બનારસીદાસજી અને આચાર્યકલ્પ ૫. ટોડરમલજી પ્રત્યે જેમને અપાર શ્રદ્ધા છે; તે જિનવાણીના પરમ અને પ્રબળ પ્રચારક આધ્યાત્મિક સંત પૂજ્યવર શ્રી કાનજીસ્વામીનાં કર-કમલોમાં સાદર સવિનય સમર્પિત.
પૂરણચંદ ગોદિકા
અધ્યક્ષ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com