________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
છે, એમના સમુચ્ચયરૂપ એ ભાવને મિથ્યાત્વ ગુણસ્થાન કહે છે. જેમ પિત્તજ્વરથી પીડાતા જીવને મધુર રસ રુચતો નથી તેમ જ મિથ્યાદષ્ટિ જીવને સમ્યક્રરત્નત્રયરૂપ આત્મધર્મ રુચતો નથી. મિથ્યાત્વી જીવને સ્વ-પર વિવેક હોતો નથી. અર્થાત્ તેને સ્વાનુભૂતિપૂર્વક વિપરીત અભિનિવેશ રહિત તત્ત્વાર્થશ્રદ્ધાન હોતું નથી તથા તેને દેવ-શાસ્ત્રગુરુની યથાર્થ શ્રદ્ધા હોતી નથી. - મિથ્યાદર્શનના બે ભેદ છે-અગૃહીત અને ગૃહીત. એકેન્દ્રિયાદિ બધાય સંસારી જીવોને પ્રવાહરૂપે જે અજ્ઞાનભાવરૂપ મિથ્યા માન્યતા ચાલી આવે છે, જેના વડે જીવની દેહાદિ જડ પદાર્થોમાં અને એમના નિમિત્તથી ઉત્પન્ન થતા રાગાદિ ભાવોમાં એકત્વબુદ્ધિ બની રહે છે તે અંગૃહીત મિથ્યાદર્શન છે. એના સદ્દભાવમાં જીવાદિ પદાર્થોનાં યથાર્થ સ્વરૂપને નહીં જાણનારા એવા જીવો વડે કલ્પિત જે અન્યથા માન્યતા નવી અંગીકાર કરવામાં આવે છે તેને ગૃહીત મિથ્યાદર્શન કહે છે. (૨) સાસાદન
સમ્યગ્દર્શનની વિરાધનાને આસાદન કહે છે તથા એની સાથે જે ભાવ હોય છે તેને સાસાદન કહે છે. જે ઔપથમિક સમ્યગ્દષ્ટિ જીવે અનંતાનુબંધી કષાયના ઉદયવશ ઔપશમિક સમ્યગ્દર્શનના કાળમાં ઓછામાં ઓછો એક સમય અને વધારેમાં વધારે છે આવલિકાળ બાકી રહેતાં સમ્યગ્દર્શનરૂપી રત્નપર્વતના શિખર ઉપરથી ચુત થઈને મિથ્યાદર્શનરૂપી ભૂમિના સન્મુખ થવાથી સમ્યગ્દર્શનનો તો નાશ કરી દીધો છે, પરંતુ મિથ્યાદર્શનને પ્રાપ્ત થયો નથી તે જીવની આ અવસ્થાને સાસાદન ગુણસ્થાન કહે છે.
આ ગુણસ્થાનનું પૂરું નામ સાસાદન સમ્યકત્વ છે. સાસાદન પદની સાથે સમ્યકત્વ પદનો પ્રયોગ ભૂતપૂર્વ ન્યાયની અપેક્ષાએ થયેલો છે. એનો કાળ અન્તર્મુહૂર્તમાત્ર છે. (૩) મિશ્ર
જે ગુણસ્થાનમાં જીવને સમ્યુગ્મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયવશ સમીચીન અને મિથ્યા ઉભયરૂપ શ્રદ્ધા યુગપ-એકીસાથે હોય છે, તેની તે શ્રદ્ધાને
૫૨.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com