________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રશ્ન એ નથી કે આપની પાસે વર્તમાનમાં પ્રગટરૂપ કેટલી જ્ઞાનશક્તિ છે? પ્રશ્ન એ છે કે શું આપ તેને સંપૂર્ણપણે આત્મ-કેન્દ્રિત કરી શકો છો? સ્વાનુભૂતિ માટે સ્વસ્થ ચિત્તવાળી વ્યક્તિને જેટલું જ્ઞાન પ્રાપ્ત છે તે પૂરતું છે. પરંતુ પ્રગટ જ્ઞાનનું આત્મ-સ્વભાવમાં સર્વસ્વ સમર્પણ કરી દેવું એ એક અનિવાર્ય તત્ત્વ (શરત) છે, જેના વિના આત્માનુભૂતિ પ્રાપ્ત કરી શકાતી નથી. જો પ્રયોજનભૂત તત્ત્વોનો વિકલ્પાત્મક યથાર્થ નિર્ણય થઈ ગયો હોય તો અપ્રયોજનભૂત બહિર્લક્ષી જ્ઞાનની હીનાધિકતાથી કાંઈ ફેર પડતો નથી, પરંતુ એક (આત્મ) નિષ્ઠતા અતિ આવશ્યક છે.
આ આત્મા પોતાની ભૂલથી પર્યાયમાં ગમે તેટલો ઉન્માર્ગી બને પરંતુ આત્મ-સ્વભાવ તેને કદીય છોડી દેતો નથી. પરંતુ જ્યાં સુધી આ આત્મા પોતાની દષ્ટિને સમસ્ત પર પદાર્થોથી હુઠાવી લઈ આત્મનિષ્ઠ બને નહીં ત્યાં સુધી આત્મસ્વભાવની સાચી અનુભૂતિ પણ પ્રાપ્ત થઈ શકતી નથી.
આત્માનુભૂતિ પ્રાપ્ત કરવા માટે બાહ્ય સાધનોની પંચમાત્ર પણ અપેક્ષા નથી. જેમ લોકમાં પોતાની વસ્તુના ઉપભોગ માટે પૈસાનું ખર્ચ કરવું પડતું નથી તેમ આત્માનુભૂતિ માટે પણ બાહ્ય સાધનોની આવશ્યકતા નથી; કારણ કે પોતાને પોતાથી પોતા દ્વારા જ અનુભૂતિ કરવાની છે. તેમાં વળી પરની અપેક્ષા કેમ હોય? આત્માનુભૂતિમાં પરના સહ્યોગનો વિકલ્પ બાધક જ છે, સાધક નથી.
આત્માનુભૂતિના કાળમાં પર સંબંધી વિકલ્પમાત્ર આત્માનુભૂતિની એકરસતાને ખંડિત કર્યા વિના રહેતો નથી. તેથી એ નિશ્ચિત છે કે જે સાધક પોતાની સાધનામાં પરના સહયોગની આકાંક્ષાથી વ્યગ્ર રહે છે તેના ભાગ્યમાં માત્ર વ્યગ્રતા જ રહે છે, તેને સાધ્યની સિદ્ધિ પ્રાપ્ત થઈ શકતી નથી. તેથી આત્માનુભવના વાંચ્છક મુમુક્ષુઓએ પરના સહયોગની કલ્પનામાં આકુલિત નહીં રહેવું જોઈએ.
શુભાશુભ વિકલ્પો છૂટવાની પ્રક્રિયા અને કમ શું છે? તથા
उ७
Please inform us of any errors on rajesh@AtmaDharma.com