________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રમણ સંસ્કૃતિના પ્રતિષ્ઠાપક મહાન આચાર્ય કુન્દકુન્દ પુણ્ય-પાપ બંનેને સંસારનું કારણ બતાવીને એમના પ્રતિ રાગ અને સંસર્ગ કરવાનો સ્પષ્ટ નિષેધ કર્યો છે. એમનું કથન એમના જ શબ્દોમાં આ પ્રમાણે છે:
कम्ममसुहं कुसीलं सुहकम्मं चावि जाणह सुसीलं। कह तं होदि सुसीलं जं संसारं पवेसेदि ।। १४५ ।। सोवण्णियं पि णियलं बंधदि कालायसं पि जह पुरिसं। बंधदि एवं जीवं सुहमसुहं वा कदं कम्मं ।। १४६ ।। तम्हा दु कुसीलेहिं य रागं मा कुणह मा व संसग्गं।
साहीणो हि विणासो कुसीलसंसग्गरायेण ।। १४७ ।। અશુભ કર્મ કુશીલ છે અને શુભ કર્મ સુશીલ છે એમ તમે જાણો છો, પરંતુ તે સુશીલ કેમ હોઈ શકે કે જે શુભ કર્મ (જીવન) સંસારમાં પ્રવેશ કરાવે છે?
જેવી રીતે લોખંડની બેડીની જેમ સોનાની બેડી પણ પુરુષને બાંધે છે તે જ પ્રમાણે અશુભ (પાપ) કર્મની જેમ શુભ (પુણ્ય) કર્મ પણ જીવને (અવિશેષપણે) બાંધે છે.
તેથી એ બન્ને કુશીલો (પુણ્ય-પાપ) સાથે રાગ વા સંસર્ગ ન કરો, કારણ કે કુશીલ સાથે સંસર્ગ અને રાગ કરવાથી સ્વાધીનતાનો નાશ થાય છે.
શુભ ભાવોથી પુણ્ય કર્મનો બંધ થાય છે અને અશુભ ભાવોથી પાપ કર્મનો બંધ થાય છે. બંધ ભલે પાપનો હોય કે પુણ્યનો, આખરે તે છે તો બંધ જ; તેનાથી આત્મા બંધાય જ છે, મુક્ત થતો નથી. મુક્ત તો શુભાશુભ ભાવોના અભાવથી અર્થાત્ શુદ્ધ ભાવ (વીતરાગ ભાવ) વડ જ થાય છે. તેથી મુક્તિના માર્ગમાં પુણ્ય અને પાપનું સ્થાન અભાવાત્મક જ છે. આ બાબતમાં “યોગસાર” માં શ્રી યોગીન્દુદેવ લખે છે:
पुण्णिं पावइ सग्ग जिउ पावएँ णरय-णिवासु। बे छंडिवि अप्पा मुणई तो लब्भई सिववासु।। ३२ ।।
૧૯
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com