________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દીવાન રતનચંદ તો જિનવાણીમાં વ્યવહારનું કથન કર્યું જ શા માટે?
પં. ટોડરમલઃ- વ્યવહાર વિના પરમાર્થ સમજાવી શકાતો નથી, તેથી અસત્યાર્થ હોવા છતાં પણ જિનવાણીમાં વ્યવહારનું કથન કરવામાં આવેલું છે. દીવાન રતનચંદ- વ્યવહાર વિના નિશ્ચયનો ઉપદેશ કેમ થઈ શકતો નથી?
પં. ટોડરમલ- નિશ્ચયનયથી તો આત્મા પરદ્રવ્યોથી ભિન્ન અને સ્વભાવથી અભિન્ન સ્વયંસિદ્ધ વસ્તુ છે; તેને જે ન ઓળખતો હોય તેને એમ જ કહ્યા કરીએ તો તે સમજે નહીં. તેથી તેને સમજાવવા વ્યવહારથી શરીરાદિક પરદ્રવ્યોની સાપેક્ષતા વડ નર-નારકાદિરૂપ જીવના ભેદ કર્યા તથા મનુષ્ય જીવ, નારકી જીવ ઈત્યાદિ-રૂપે જીવની ઓળખાણ કરાવી. એ જ પ્રમાણે અભેદ વસ્તુમાં ભેદ ઉપજાવી સમજાવ્યું. જેમકે-જાણવાવાળો તે જીવ, દેખવાવાળો તે જીવ-એમ જીવના જ્ઞાનાદિ ગુણપર્યાયરૂપ ભેદ કરીને સ્પષ્ટ સમજાવવામાં આવ્યું.
જે પ્રમાણે સ્વેચ્છને મ્લેચ્છ ભાષા વિના સમજાવી શકાતો નથી, તે જ પ્રમાણે વ્યવહારી જનોને વ્યવહાર વિના નિશ્ચયનું જ્ઞાન કરાવી શકાતું નથી.
દીવાન રતનચંદ- તો અમારે કયા પ્રકારે માનવું?
પં. ટોડરમલ- જ્યાં નિશ્ચયનયની મુખ્યતાથી વ્યાખ્યાન હોય, તેને તો “સત્યાર્થ એમ જ છે” એમ જાણવું અને જ્યાં વ્યવહારનયની મુખ્યતાથી વ્યાખ્યાન હોય, તેને “એમ નથી, પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે” એમ જાણવું.
દીવાન રતનચંદ- વ્યવહારનય પરને ઉપદેશ કરવામાં જ કાર્યકારી છે કે પોતાનું પણ પ્રયોજન સાધે છે?
પં. ટોડરમલ- પોતે પણ જ્યાં સુધી નિશ્ચયનય વડે પ્રરૂપિત વસ્તુને ન ઓળખે ત્યાં સુધી વ્યવહાર-માર્ગ વડે વસ્તુનો નિશ્ચય કરે. તેથી નીચલી દશામાં વ્યવહારનય પોતાને પણ કાર્યકારી છે; પરંતુ વ્યવહારને
૧૩
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com