SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૮]. [સ્વાનુભૂતિદર્શન રીતે સમજાવનારા ગુરુ મળવા બહુ મુશ્કેલ છે. એકની એક વાત વારંવાર કેટલીવાર સમજાવતા ! આવા ગુરુ મળવા બહુ મુશ્કેલ છે. શાસ્ત્રમાં આવે છે ને? કે ધોબીને ત્યાંથી વસ્ત્ર લાવીને ઓઢીને સૂઈ ગયો. તેને વારંવાર કહે કે આ વસ્ત્ર મારું છે, મને આપી દે, મને આપી દે, આ મારું છે-એમ વારંવાર, વારંવાર કહે ત્યારે તેને ઘડ બેસે કે સાચેસાચ આ વસ્ત્ર મારું નથી. તેમ ગુરુદેવ વારંવાર કહેતા કે આ જ્ઞાયક આત્મા તું છે, શરીર તું નથી, વિભાવ તું નથી. તે આત્મા, જ્ઞાતા છો, તું કર્તા નહિ. આ શરીર તારું નથી, શરીર તું નથી. આમ કેટલીયે વાર કહે ત્યારે ઘડ બેસે. ગુરુદેવે કેટલાં વર્ષો સુધી કહ્યું, વારંવાર કહ્યું. આવો ઉપદેશ દેનારા ગુરુ શિષ્યોને મહાભાગ્ય મળે છે. આચાર્યદવ કહે છે કે જીવ મોહમાં ટકે છે તે આશ્ચર્ય છે. મોહમાં તું કેમ રહે છે? મોહ વગરનો આત્મા મોહમાં ઊભો છે, એ આશ્ચર્ય છે. ૪૮. પ્રશ્ન- શું આત્માને ઓળખ્યા વિના રાગ-દ્વેષ છૂટે નહિ? સમાધાન:- પહેલાં સ્વભાવની પ્રતીતિ કરે તો રાગ-દ્વેષ ભિન્ન પડે, તે પહેલાં ભિન્ન વાસ્તવિકપણે કેવી રીતે પડે? બાહ્ય વૈરાગ્યપૂર્વક તેને મોળા પાડે કે આ સારાં નથી, આ રાગ-દ્વેષ કરવા જેવા નથી. પણ તે રીતે વાસ્તવિક ભિન્ન પડતા નથી, સ્વભાવને ઓળખે તો જ રાગ-દ્વેષ ભિન્ન પડે છે. જે પાત્ર આત્માર્થી હોય જેને આત્માનું પ્રયોજન હોય–તેને વધારે પડતા અર્થાત્ પોતાને શોભે નહિ તેવા કષાયો ન હોય પણ કષાયની ઉપશાંતતા અને વૈરાગ્ય એ બધું હોય. મારે આત્માનું જ કરવું છે. આ રાગ-દ્વેષ કાંઈ રાખવા જેવા નથી એમ આત્માનું પ્રયોજન સાધવા માટે વૈરાગ્ય કરે તો રાગ-દ્વેષ મોળા પડે, પણ ભેદજ્ઞાન કર્યા વગર તે ભિન્ન પડતા નથી. પહેલાં પાકી શ્રદ્ધા (નિર્ણય) કરે કે હું જ્ઞાયક-જાણનારો જ છું. શુભાશુભ ભાવ મારું સ્વરૂપ નથી. શરીર જુદું અને આત્મા જુદો છે. આ શરીર કાંઈ જાણતું નથી. હું અંદરમાં એક જાણનારું તત્ત્વ અનાદિ-અનંત શાશ્વત છું. આ રીતે તે જાણનાર તત્ત્વનો નિર્ણય બરાબર કરવો જોઈએ. જોકે તેને અશુભથી બચવા વચ્ચે દેવ-શાસ્ત્ર-ગુરુની મહિમા આવે, તો પણ મને એક આત્મા કેમ ઓળખાય? તે પ્રયોજન તેનું હોવું જોઈએ. પ્રથમ આત્માની મહિમા આવવી જોઈએ કે આ બધું બહારનું સારભૂત વસ્તુ નથી, સારભૂત તો એક આત્મા જ છે. એમ મહિમા-નિર્ણય Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008316
Book TitleSwanubhutidarshan
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherJagjivan Bavchand Doshi Parivar Songadh
Publication Year1996
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy