SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૩૫૬ ] [ સ્વાનુભૂતિદર્શન સર્વસ્વ છે એમ માને છે અને તેને બીજા મુમુક્ષુ જીવો પ્રત્યે દાસત્વપણું એટલે કે ગુણગ્રાહી દષ્ટિ થઈ જાય છે. તે કોઈના દોષ જોતો નથી, પણ તેને બધાનું દાસત્વ છે અર્થાત્ કોઈથી હું ઊંચો છું એવી ષ્ટિ નથી, પરંતુ નમ્રતાના ભાવ આવી જાય છે. આત્માર્થીપણાનું લક્ષણ છે કે હું કોઈથી ઊંચો છું તેવો વિચાર છૂટી જાય ને બધાનું દાસત્વપણું આવી જાય. તેને એટલી બધી નમ્રતા આવી જાય છે કે પોતાનું અહંપણું ને કઠોરતા છૂટી જાય છે, પણ તેને પરીક્ષાબુદ્ધિ હોય છે. જ્યાં સાચા દેવ-શાસ્ત્ર-ગુરુ હોય ત્યાં જ તેની અર્પણતા હોય છે; પરંતુ જે સાચું સમજતા ન હોય, જેની વિપરીત બુદ્ધિ હોય ને જેના ખોટા આગ્રહ હોય તેના પ્રત્યે દાસત્વપણું ન હોય. છતાં પણ પોતાને કયાંય અભિમાન ન થાય, પોતે કયાંય અભિમાનથી વર્તતો ન હોય.-એવી જાતનું દાસત્વ હોય છે. તે પોતાનું માન નથી રાખતો કે મારામાં આમ છે અર્થાત્ હું મોટો છું એમ પોતાનું માન છૂટી જાય છે, પોતાને નુકસાન થાય એવી જાતનું અહંપણું છૂટી જાય છે. કોઈ ખોટા આગ્રહવાળા હોય, કુદેવ-ગુરુ હોય તે બધાને જેમ છે તેમ જાણે છે; પણ પોતે અહંપણું રાખતો નથી. તેને બધામાં વિવેક છે, પણ તેનો અર્થ એવો નથી કે તે બધે નમસ્કાર કરે છે. છતાં તેને અહંપણું છૂટી જાય છે. મારામાં આ ગુણ તો છે ને? એવો તેને અહં ન હોય, પણ મારે હજી ઘણું કરવાનું છે એવી નમ્રતા હોય. દ્રવ્ય અપેક્ષાએ સિદ્ધ ભગવાન જેવો છું, પણ પર્યાયમાં પામર છું, એવી જાતની નમ્રતા અંતરમાં આવી જાય છે.-આ દાસત્વનો અર્થ છે. પર્યાયમાં હું પામર છું, મારી પર્યાયમાં ઘણી અધૂરાશ છે. મારે ઘણું કરવાનું છે એવી નમ્રતા હોય, પણ મેં આ કરી લીધું ને મારામાં આ છે એવું અહંપણું ન હોય. દાસત્વ એટલે બધાના દાસ થઈ જવું અને બધે નમસ્કાર કરવા એવો અર્થ નથી. બીજાના દોષ જોવા કરતાં, પર્યાયમાં હું પામર છું એમ પોતાના દોષ જોવા તે આત્માર્થીનું લક્ષણ છે. બીજાને દોષબુદ્ધિથી જોવા કરતાં, તું તારા પોતામાં કયાં અટકયો છો અને તારામાં શું ખામી છે તેને તું જો. બીજાના દોષ જોવામાં તું અટકીશ નહિ. ‘જગતને રૂડું દેખાડવા પ્રયત્ન કર્યો, પણ તું પોતે રૂડો થયો નહિ.’ એવું શ્રીમમાં આવે છે. જગતને રૂડું દેખાડવાનો પ્રયત્ન કર્યો, પણ તું પોતે અંદ૨ રૂડો થયો છો કે નહિ? તે તારે અંતરમાં જોવાનું છે. તારે પોતાને Please inform us of any errors on [email protected]
SR No.008316
Book TitleSwanubhutidarshan
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherJagjivan Bavchand Doshi Parivar Songadh
Publication Year1996
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy