SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [ ૩૪૯ પ્રશ્ન:- પ્રમાણજ્ઞાન કામનું છે તે કેવી રીતે ? સમાધાનઃ- દ્રવ્યદષ્ટિ ગ્રહણ કરતાં દ્રવ્ય શુદ્ધ છે એમ જોર આવવા છતાં પર્યાયમાં અશુદ્ધતા છે તે ખ્યાલ જ્ઞાનમાં છે. જ્ઞાનને શુદ્ધતા અને અશુદ્ધતા-બંનેનો ખ્યાલ છે. અને તેથી અશુદ્ધતાને ટાળવાનો પુરુષાર્થ ઊપડે છે. માટે તે પણ કામનું છે. અશુદ્ધતા ટાળવી છે અને શુદ્ધ પર્યાય પ્રગટ કરવી છે તેને માટે દ્રવ્ય ઉ૫૨ દૃષ્ટિનું જોર હોય છે. છતાં હજી પર્યાયમાં અશુદ્ધતા છે અને શુદ્ધ પર્યાય પ્રગટ કરવી છે તેથી પ્રમાણજ્ઞાન પણ કામનું છે. દ્રવ્યદષ્ટિના જોરથી અને પ્રમાણજ્ઞાનથી–બંનેથી પુરુષાર્થ ઊપડે છે. બેમાંથી એક જ હોય તો દૃષ્ટિ ને જ્ઞાન બંને ખોટાં થાય છે. દ્રવ્ય ઉ૫૨ દષ્ટિ ન હોય અને માત્ર જ્ઞાનથી વિચાર કરે તો પણ જ્ઞાન સમ્યક્ થતું નથી. અને દ્રવ્ય ઉપર દૃષ્ટિનું જોર હોય અને જ્ઞાન કામ ન કરે તો દ્રવ્ય ઉપર દષ્ટિનું જોર એકાન્ત થયું. અર્થાત્ પર્યાયનો-સ્વરૂપગ્રહણનો પુરુષાર્થ થયો કે નહિ તેનો-કાંઈ ખ્યાલ જ નથી તો દ્રવ્યદષ્ટિ ખોટી થાય છે. મુક્તિના માર્ગમાં બંને કામ કરે છે. મુખ્યતા ભલે દ્રવ્યદષ્ટિના જોરની હોય, પણ પ્રમાણજ્ઞાન સાથે હોય છે. બંને સાથે ને સાથે કામ કરે છે. ૬૩૬. પ્રશ્ન:- પ્રમાણજ્ઞાન સાથે ન રાખીએ તો નિશ્ચયાભાસી થવાનો અવકાશ છે? સમાધાનઃ- હા, નિશ્ચયાભાસી થવાનો અવકાશ છે, તેની દ્રવ્યદૃષ્ટિ જ ખોટી છે. મુમુક્ષુઃ- અનેકાન્તની શૈલી એવી છે કે બંને પાસાંથી સ્વરૂપ તરફ જવાની પ્રેરણા મળે. બહેનશ્રી:- હા, અનેકાન્તનું સ્વરૂપ જ એવું છે. દ્રવ્યદષ્ટિએ શુદ્ધ છું એમ દૃષ્ટિમાં એકાન્ત આવ્યું ત્યારે દ્રવ્ય-પર્યાયનું જ્ઞાન પણ સાથે રહે છે. એટલે કે સમ્યક્ એકાંતની સાથે અનેકાન્ત રહેલું છે અને તો એકાન્ત સાચું થાય છે. ૬૩૭. પ્રશ્ન:- સમ્યગ્દર્શન કરવા માટે એક ક્ષણભંગુરતાનો વિચાર કરીને વૈરાગ્ય લાવે અને એક આત્માનું બહુમાન લાવે, તે બેમાંથી કાર્યકારી કોણ ? સમાધાનઃ- વૈરાગ્ય લાવવા માટે બધું ક્ષણિક છે એમ વિચારે તેની સાથે આત્માની મહિમા બધું હોય. વૈરાગ્ય આવે તે માટે એમ વિચારે કે આ દેહ ક્ષણભંગુર છે, આ શરીર શાશ્વત નથી, આત્મા મહિમાવંત છે, આ બધું દુઃખરૂપ અને આકુળતામય છે. એમ અનેક પ્રકારથી વૈરાગ્ય આવે. વૈરાગ્ય આવે તેમાં આત્માને ઓળખવાનું Please inform us of any errors on [email protected]
SR No.008316
Book TitleSwanubhutidarshan
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherJagjivan Bavchand Doshi Parivar Songadh
Publication Year1996
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy