________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
[ ૩૪૧
છે?
મુમુક્ષુઃ- ધ્યેય ધ્રુવનું રાખીને અભ્યાસ કરવો ?
બહેનશ્રી:- હા, ધ્રુવનું ધ્યેય રાખવું જોઈએ, તો આગળ જવાય. મુમુક્ષુઃ- ધ્રુવનું લક્ષ રાખીને વાત સાંભળવી તે શું વિકલ્પાત્મક ભૂમિકા
બહેનશ્રી:- તે વિકલ્પાત્મક ભૂમિકા છે. ધ્રુવનું ધ્યેય હોવું જોઈએ કે આગળ જવાનું છે, નિર્વિકલ્પ થવાનું છે. ૬૧૨.
પ્રશ્ન:- કેટલીક વાર તો એમ થાય કે ગુરુદેવ મળ્યા ને વાત મળી છતાં આગળ કેમ જવાતું નથી ? આ વાત રુચે છે તો પણ આગળ કેમ જવાતું નથી ?
સમાધાનઃ- ભાવના તો એમ રહે કે આટલું મળ્યું છતાં આગળ કેમ થતું નથી? ગુરુ મળ્યા, અંદર રુચિ થાય, સાચું લાગે, પણ પોતે પરિણિતનો પલટો કરતો નથી તે બાકી છે. અંતરમાં ભેદજ્ઞાનની પરિણતિ પ્રગટ કરી પલટો ખાય ને સ્વાનુભૂતિ પ્રગટે તેને પછી ચારિત્ર બાકી રહે છે. પ્રથમ પગથિયે સમ્યગ્દર્શન મુખ્ય છે અને તે પલટો કરવાથી થાય છે. જો પલટો ખાધો તો સાચા માર્ગે ચડી ગયો. ૬૧૩.
પ્રશ્ન:- જ્ઞાની વગર જ્ઞાન ગમ્ય નથી. પણ અમોને જ્ઞાનીઓના ભેટા થયા, છતાં આ પરિસ્થિતિ કેમ રહી ગઈ ?
સમાધાનઃ- પોતે ગુરુને અને ભગવાનને ઓળખ્યા નહિ. તેમને બહારથી ઓળખ્યા, પણ અંતરથી ઓળખ્યા નહિ. અંતરથી અપૂર્વ રીતે આ-જુદા છે ને જુદું કહે છે એ રીતે-ઓળખ્યા નહિ. પંચમકાળમાં ગુરુદેવ પધાર્યા અને જુદી રીતે વાત કહી એટલે બધાને આટલો ખ્યાલ આવ્યો કે તેઓ જુદું કહે છે. તેણે સ્થૂલ દષ્ટિએ બહારથી ભગવાનને અને ગુરુને ઓળખ્યા; પણ તેઓ કહી ગયા તે ગ્રહણ કર્યું નહિ. ૬૧૪.
પ્રશ્નઃ- હું જુદો છું, જુદો એવું લાગ્યા કરે તો તે શું બરાબર છે?
સમાધાનઃ- જ્ઞાનીને જાગતાં, સૂતાં, સ્વપ્નમાં, હાલતાં, ચાલતાં હંમેશાં જુદો લાગે તે બરાબર છે. તે પહેલાં હું જુદો છું, જુદો છું એવું બોલવા માંડે તે નહિ. તથા હું જુદો છું એવું (શાસ્ત્રથી) જાણી લીધા પછી હું જુદો છું એમ વિચાર થયા કરે તે પણ બરાબર નિહ. પણ સાક્ષાત્ જ્ઞાયક તેના હાથમાં દેખાતો હોય કે હું આ રહ્યો જ્ઞાયક, હું આ રહ્યો જ્ઞાયક અર્થાત્ હું જ્ઞાયક આ રહ્યો એવું જ વેદન રહ્યા કરે તે બરાબર છે. પોતાના જ્ઞાનમાં જ્ઞાયક જુદો જ લાગ્યા કરે,−તે (જ્ઞાયક)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com