SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [ ૨૮૭ થાય. દષ્ટિ દ્રવ્ય ઉપર રહેવી જોઈએ. પર્યાય એક પછી એક થાય, પરંતુ પર્યાય ઉ૫૨ દૃષ્ટિ ન કરતાં દ્રવ્ય ઉપર દષ્ટિ થવી જોઈએ કે હું તો જાણનારો જ્ઞાયક છું. ૪૯૪. પ્રશ્ન:- જિજ્ઞાસુ દશામાં આવું થઈ શકે ખરું? સમાધાનઃ- ‘હું શાયક છું' એમ તો થઈ શકે છે. પહેલાં વિચારો આવે છે, પછી યથાર્થ થાય છે. કેટલા વખત પછી યથાર્થ થાય તે પોતાની ઉપર છે. ખરું યથાર્થપણું તો જ્યારે તેને ભેદજ્ઞાન થાય ત્યારે જ કહેવાય. તેની પહેલાં જે છે તે તો ભાવના છે, ખરું નથી. જેમ કે જ્યારે પ્રકાશ પ્રગટે ત્યારે જ પ્રકાશ કહેવાય ને જ્યાં સુધી અંધકાર છે ત્યાં સુધી અંધકાર જ કહેવાય. છતાં પોતે પ્રયત્ન કર્યા કરે છે, અભ્યાસ કરે છે તેથી પ્રકાશ પ્રગટ થાય છે. મારું ચૈતન્ય તત્ત્વ મને કયારે પ્રગટ થશે એમ તેને રહ્યા કરવું જોઈએ, પણ તેને એમ ન થાય કે ઠીક, જ્યારે થાય ત્યારે ખરું, એમ પ્રમાદ ન કરવો. મારે તો આ કાંઈ નથી જોઈતું, એક આત્મા જ જોઈએ એવી ભાવનાને તીવ્ર કરજે, ઉગ્ર કરજે. મૂંઝાઈશ નહિ, આકુળતા કરીશ નહિ. તે એવી આકુળતા ન કરે કે જેથી મૂંઝવણ થાય. તું ધી૨જ રાખજે, પણ તેમાં પ્રમાદ ન કરીશ કે જ્યારે થવાનું હશે ત્યારે થશે. તું પુરુષાર્થ કરીશ ત્યારે થશે ને જેટલી તારી પુરુષાર્થની મંદતા હશે તેટલી વાર લાગશે. પરંતુ તેમાં આકુળતા ન કરીશ કે કેમ વાર લાગે છે? સ્વભાવને પ્રાપ્ત કરવાનો જે માર્ગ છે તે મળશે ત્યારે પ્રગટ થશે; પણ તે વિના નહિ પ્રગટે. માટે ધીરજ રાખજે. માર્ગની શોધખોળ કરતાં કરતાં તે પ્રગટ થશે. જ. ૪૯૫. પ્રશ્ન:- અંદર શું કરવું એ સમજાતું નથી તેથી ફરી ફરીને પૂછવાનો ભાવ આવ્યા કરે છે કે આ કરવું કેવી રીતે ? સમાધાનઃ- પૂજ્ય ગુરુદેવે ઘણુંય સમજાવ્યું છે, કહેવામાં કાંઈ બાકી રાખ્યું નથી. કેવી રીતે કરવું શું? પોતાનો સ્વભાવ ઓળખીને કરવું. અંદરથી એવી લગની લાગવી જોઈએ, ઓળખાણ કરવી જોઈએ, કે ચૈતન્ય સ્વભાવ શું છે? આ જડ કાંઈ જાણતું નથી ને રાગ જાણતો નથી; પણ હું બધાનો જાણનાર જુદો છું. જાણનારને ઓળખ્યા વિના કામ થતું નથી. આ એક જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. બહારમાં બધું જાણ્યું, પણ એક આત્માને ન જાણ્યો તો એ બધું નિષ્ફળ જાય છે. એક આત્માને જાણે અને બહારનું ખાસ ન આવડતું હોય તો Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
SR No.008316
Book TitleSwanubhutidarshan
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherJagjivan Bavchand Doshi Parivar Songadh
Publication Year1996
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy