________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૨૫૮ ]
[ સ્વાનુભૂતિદર્શન
કે અશુભભાવ આવે, તે મારું સ્વરૂપ નથી. જેવા સિદ્ધ ભગવાન છે એવો જ હું છું. હું તો શુદ્ધ, નિર્મળ એકરૂપ તત્ત્વ છું.
જેમ સ્ફટિક નિર્મળ છે તેમ હું નિર્મળ છું. સ્ફટિકમાં જેમ ઉપર લાલ-પીળાં પ્રતિબિંબ પડે છે તે સ્ફટિકનો મૂળ સ્વભાવ નથી, તેમ હું નિર્મળ છું. મારા મૂળ સ્વભાવમાં આ વિભાવો પ્રવેશ પામ્યા નથી. હું તો શુદ્ધ જ છું, નિરાળો છું. આવા નિરાળાપણાનો-ભેદજ્ઞાનનો-અભ્યાસ કરવો. આ પ્રથમ ઉપાય છે.
હું જાણનાર છું, જ્ઞાયક છું, આ શરીર મારું નથી, જડ છે. આ મન પણ મારું નથી. આ વિકલ્પ તે મારો સ્વભાવ નથી. ભલે તે થાય છે મારી પર્યાયમાં તે કાંઈ જડમાં થતો નથી કે જડ કરાવતું નથી, મારા પુરુષાર્થની નબળાઈથી થાય છે. તો પણ મારો સ્વભાવ નથી. હું તો જુદો જ્ઞાયક છું. એવો જ અભ્યાસ કર્યા કરે તે પહેલો ઉપાય છે. જેને હજી આ અભ્યાસ પણ નથી તેને તો સ્વાનુભૂતિ થવી મુશ્કેલ પડે છે.
આ અભ્યાસ એકાંતમાં બેસીને કરે તો જ થાય એમ નથી. આ અભ્યાસ તો ગમે ત્યારે થઈ શકે એમ છે. અને તે ક્ષણે ક્ષણે કર્યા જ કરવાનો છે; છતાં એમ ન થાય તો ધીરે ધીરે કરે; પણ એ રીતે ભેદજ્ઞાનનો અભ્યાસ કર્યા કરવાનો છે.
જેમ પાણી સ્વભાવથી શીતળ છે, તે અગ્નિના નિમિત્તે ગરમ થાય છે તો પણ તેનો સ્વભાવ તો શીતળ જ છે. તેમ હું તો સ્વભાવે શીતળ છું. કર્મના સંયોગમાં મારી પોતાની નબળાઈથી જોડાણ થાય છે, પણ તે મારો સ્વભાવ નથી.
આવો ભેદજ્ઞાનનો અભ્યાસ કરતાં જ્ઞાયકમાં એકાગ્રતા થાય તો આત્માની સ્વાનુભૂતિ થવાનો પ્રસંગ બને છે. ૪૭૩.
પ્રશ્ન:- ભેદજ્ઞાનના અભ્યાસમાં હું શરીર નથી, મન નથી, વાણી નથી, આવા વિચારો આવે છે તે પણ હું નથી. તો પછી શું કરવું ? તે સમજાવવા કૃપા કરશો. સમાધાનઃ- અભ્યાસ તો ભેદજ્ઞાનનો જ કરવાનો છે. ‘આ હું નથી, આ હું નથી ’
એમ કહીને ૫૨ ને વિભાવથી છોડાવવો છે. છતાં ભેદજ્ઞાનના અભ્યાસમાં ટકી ન શકાય તો શાસ્ત્રસ્વાધ્યાય કરે, વળી પાછો ભેદજ્ઞાનનો અભ્યાસ કરે, નિરાળા રહેવાનો અભ્યાસ કરે. આ હું છું, આ હું નથી, હું તો જાણનાર છું તેમ અભ્યાસ
કરવાનો છે.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com