________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૪]
[ સ્વાનુભૂતિદર્શન તેનો વિશ્વાસ કર, જેમ મા-બાપ છોકરાને બતાવે તો છોકરો મા-બાપનો વિશ્વાસ કરે છે; તેમ જ્ઞાની બતાવે છે તો પોતાની બુદ્ધિથી થોડો વિચાર કરે પછી જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી જ્ઞાનીઓના વચન ઉપર વિશ્વાસ કરતો જાય. જેમ કોઈની દુકાને નાણાં મૂકવાં હોય તો માણસ આખી દુકાન ન જોવે પણ એના અમુક લક્ષણ ઉપરથી ઓળખે કે આની દુકાન સારી ચાલે છે. એમ લક્ષણથી ઓળખી લેવું જોઈએ.
મહાપુરુષો કાંઈ સ્વાનુભૂતિ બતાવી શકે નહિ, પણ તેના લક્ષણ બતાવે. લક્ષણથી પોતે વિચાર કરવો, કારણ કે પોતાને સુખ જોઈએ છે. માટે એટલી તૈયારી તો જોઈએ. બહારમાં ક્યાંય સુખ નથી, સંતોષ નથી, મારે કાંઈ બીજું જ જોઈએ છે, એટલી જિજ્ઞાસા તો હોવી જ જોઈએ. પછી જ્ઞાની જે બતાવે તેનો વિશ્વાસ કરીને તે માર્ગે પુરુષાર્થ કરવો જોઈએ. તો પ્રગટ થાય. ઝાંખી નથી તો બુદ્ધિથી પોતે વિચાર કરે, પરીક્ષા કરે કે આ વસ્તુ સાચી છે, પછી વિશ્વાસથી પોતે આગળ વધે. ૪૪૬. પ્રશ્ન:- સત્પુરુષ મળે તો શું તેને માર્ગની મૂંઝવણ ટળી જાય ? સમાઘાન- સાચા ગુરુ મળ્યા હોય અને સાચી પ્રતીતિ થઈ હોય તો તેની પ્રતીતિ દઢ જ રહે છે. સાચા દેવ-શાસ્ત્ર-ગુરુ જેને મળે અને અંતરથી સાચું ગ્રહણ થાય તો તેને વિશ્વાસ જ રહે છે કે આ રસ્તે જ આત્મસાક્ષાત્કાર થવાનો છે, બીજો કોઈ રસ્તો નથી. મારા પુરુષાર્થની મંદતા છે તેથી હું નથી કરી શકતો, પણ તેની રુચિ એમાં જ રહ્યા કરે કે આ રસ્તે જ જવાનું છે, બીજો કોઈ રસ્તો નથી. બહાર તેની રુચિ મંદ પડી જાય અને અંદરમાં તેને હૂંફ આવી જાય કે આ જ રસ્તો છે. સાચા ગુરુ મળે અને અંતરથી વિશ્વાસ ન આવે એમ બને જ નહિ. માટે હજી સાચો વિશ્વાસ નથી આવતો તો ગુરુને ઓળખ્યા જ નથી. ગુરુને પરીક્ષા કરીને સ્વીકાર કરે તો તેને ભટકવું ન પડે, માર્ગ નક્કી જ થઈ જાય, કારણ કે આત્મામાં એટલું નક્કી કરવાની શક્તિ છે કે માર્ગ આ જ સાચો છે. ગુરુ કહે છે તે બરાબર છે એમ બુદ્ધિથી નક્કી કરી શકે છે.
અહીં ગુરુદેવ બિરાજતા હતા. તેમની વાણીમાં એવો ધોધ વરસતો હતો અને એવી અપૂર્વતા હતી કે બીજાને નક્કી જ થઈ જાય કે માર્ગ આ જ છે. બુદ્ધિથી વિચાર કરે તેને સાચો માર્ગ ન મળે અને નક્કી ન થાય એમ બને જ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com