________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા]
[૨૦૯ જાણવાની વસ્તુ છે. પ્રયોગ તો હું એક જ્ઞાયક છું તે કરવાનો છે. પોતે કાંઈ બહાર જાણવા જતો નથી અને બીજામાં એકત્ર થતો નથી, એકત્વબુદ્ધિ પોતે કરી રહ્યો છે. તે બીજા દ્રવ્યરૂપે થતો નથી, પણ પોતે એકત્વ માની રહ્યો છે તે પોતાની ભૂલ છે. માટે હું તો બીજાથી જુદો એક જ્ઞાયક છું તેમ ગ્રહણ કરવાનું છે.
પોતાની જ્ઞાનપરિણતિ જાણે કાંઈ કામ કરતી નથી, અને પ્રતિબિંબ પરાણે આવીને અંદર પડે છે તેવું કાંઈ નથી. જ્ઞાનપરિણતિ પોતાની છે, પોતે કૂટસ્થ છે એવો કોઈ અર્થ નથી. ૩૭૪. પ્રશ્ન- દીવાના દષ્ટાંતે જાણે પોતે બહાર જતો હોય અને અરીસાના દષ્ટાંતે બહારથી અંદર કંઈ આવતું હોય તેમ લાગે છે. તો શું તે બરાબર છે? સમાઘાન- બહાર કાંઈ જતું નથી અને અંદર કાંઈ આવતું નથી. જે પોતાની જ્ઞાનની પરિણતિ પરિણમે છે તે પોતાની જ્ઞાનની પરિણતિ બહાર જઈને પરિણમતી નથી, જ્ઞાનની પરિણતિ જ્ઞાનમાં રહીને પરિણમે છે. પોતે સ્થિરબિંબ છે અને શેયો પરાણે આવીને પડે છે એમ નથી. પોતાનો જ્ઞાયક સ્વભાવ પોતાને ગ્રહણ કરવાનો છે. તેમાં હું કેમ જાણું છું એવી રીતે પ્રયોગ હોય જ નહિ. એ પર તરફથી ચૈતન્યને ગ્રહણ કરવાનો કાંઈ અર્થ નથી. હું દીવાની જેમ જાણું છું કે અરીસાની જેમ જાણું છું તે જ્ઞાન કરવાની વાત છે. હું બીજાને જાણું છું તે બરાબર, પણ તે મારા જ્ઞાનની પરિણતિથી જાણું છું. બહારથી કાંઈ અંદર આવે છે કે હું બહાર જાઉં છું એવું કાંઈ છે જ નહિ. પોતે બહાર જતો પણ નથી અને બહારથી કાંઈ અંદર આવતું પણ નથી, પોતે જ્ઞાનરૂપે પરિણમે છે. સ્વયે સ્વ-પર પ્રકાશક છે તેથી પોતે પોતાને જાણે અને બીજાને જાણે છે. પોતાની કાંઈ ક્રિયા નથી અને બીજાથી પરાણે ક્રિયા થાય છે કે પોતાની ક્રિયા પોતે બહાર લેવા જાય છે એમ નથી. બહાર કાંઈ લેવા જતો નથી અને બહારથી કાંઈ આવતું પણ નથી. પોતે જ્ઞાન પરિણતિરૂપે સ્વયં પરિણમે છે. જે શેયો છે તેને જાણનારી પોતાની જ્ઞાનરૂપ પરિણતિથી સ્વયં પરિણમે છે, તેને કોઈ પરિણમાવતું નથી. તેમ જ જાણવા માટેનો કોઈ પ્રયોગ પોતાને કરવો પડતો નથી, તે તો સ્વયં જાણે છે. કેવળજ્ઞાન થાય તેને જાણવા માટે પ્રયોગ નથી કરવો પડતો, સ્વયં જ્ઞાન જ્ઞાનરૂપે પરિણમે છે, તેનો પરિણામી સ્વભાવ છે. ૩૭૫. પ્રશ્ન- જ્ઞાનની પરિણતિમાં કેવળ જ્ઞાયકભાવનું અસ્તિત્વ ગ્રહણ કરવાનું છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com