________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[સ્વાનુભૂતિદર્શન બેસવું જોઈએ કે રાગ આવે તે કાંઈ મારું સ્વરૂપ નથી. પોતાની મંદતાને લઈને રાગ આવે છે છતાં વિભાવની પરિણતિથી હું છૂટો છું હું સિદ્ધભગવાન જેવો આત્મા છું ખરેખર વિભાવ એ વસ્તુનું મૂળ સ્વરૂપ હોય નહિ અને જે સ્વરૂપ હોય તે વિભાવરૂપે ન હોય, વિભાવ તો દુઃખદાયક છે ને હું તો નિર્મળ સ્વભાવ છું, હું તો જુદો છું. આમ અનેક રીતે વિચારે.
રાગ આવે તે ક્ષણે જ હું જુદો છું, વીતરાગ સ્વભાવ છું. રાગની આકુળતા તે મારું સ્વરૂપ નથી. હું તો શાંતસ્વરૂપ છું, વીતરાગ સ્વરૂપે છું. હું જાણનારો જ્ઞાયક છે. આ રાગની વિકૃતિ તે મારું સ્વરૂપ જ નથી.
મુમુક્ષુ-રાગથી ભેદ પાડવામાં મુશ્કેલી તો દેખાય છે. રાગ વખતે રાગથી નિરાળો જાણનારો તે હું છું એ અઘરું તો પડે છે, છતાં આપના સમજાવ્યા પછી એટલો ખ્યાલ આવે છે કે સવિકલ્પદશામાં હજું ઘણું કરવાનું રહી જાય છે.
બહેનશ્રી:- જેને સહજ હોય તેને વિચાર કરવો પડતો નથી. આ તો જે અભ્યાસ કરે છે તેની વાત છે. કેવી રીતે કરવું તે ખરેખર તો પોતાને વિચારવાનું છે. ગુરુદેવે ઘણું સમજાવ્યું છે. છતાં આ રીતે અભ્યાસ કરે તો વિકલ્પથી છૂટો પડવાનો પ્રસંગ આવે છે.
નક્કી કર્યું હોય કે શરીર તો જડ છે, હું જુદો છું; પણ શરીરમાં કાંઈક રોગ આવે કે ખાવા-પીવાની ક્રિયા થતી હોય તે વખતે હું જુદો છું, અને આ જડ છે તેવું ભાસન કયાં થાય છે? તેની પરિણતિ તો એકત્વ કરી રહી છે. રાગની પરિણતિ થાય તેનાથી હું જુદો છું એવું તેને પ્રયત્નમાં આવવું જોઈએ. તો તેને વિકલ્પ છૂટવાનો પ્રસંગ આવે. તે આકુળતા ન કરે પણ શાંતિ રાખે કે હું જુદો તે જુદો જ છું. આ વિકલ્પ કયારે તૂટે? વિકલ્પ કયારે તૂટે? એમ વિકલ્પની પાછળ આકુળતા ન કરતાં છૂટા પડવાનો પુરુષાર્થ કરવો.
હું જુદો છું અને જુદા થવું એ જ મુક્તિનો માર્ગ છે. જુદા પડવાનો પ્રયાસઅભ્યાસ કરવો જોઈએ. તેની મૂંઝવણ, આકુળતા કે ઉતાવળ કરવાથી પણ વિકલ્પ તૂટતો નથી.
મુમુક્ષુ-સવિકલ્પદશામાં પણ ભેદજ્ઞાનનો અભ્યાસ કરવાથી પરિણતિ સહેજે છૂટી પડી જાય તે સમજાતું નહોતું. આપે આજે ઘણો સારો ખુલાસો કર્યો. બહેનશ્રી - ઘણીવાર કહેવાય છે કે ભેદજ્ઞાનનો અભ્યાસ કર, પરિણતિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com