SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] આ હું છું ને આ હું નથી તો કાંઈ ન થાય. પણ તે કાર્યમાં લાવવું જોઈએ, અંતર પરિણતિમાં લાવવું જોઈએ. ઉપાય તો આ એક જ છે. જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી થયા છે. અને જે કોઈ નથી થયા તે ભેદવિજ્ઞાનના અભાવથી નથી થયા. ભેદજ્ઞાન કયાં સુધી ભાવવું? તેના બે અર્થ છે. એક એ કે જ્યાં સુધી આ આત્મા પોતે છૂટો પડીને સ્વરૂપમાં સ્થિર ન થાય ત્યાં સુધી ભેદજ્ઞાન ભાવવું અને બીજો અર્થ એ છે કે જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી ભેદજ્ઞાન ભાવવું. જોકે શરૂઆતમાં (ભેદજ્ઞાનનો) અભ્યાસ સહજ હોતો નથી, તો પણ અભ્યાસ કર્યા કરે. સમ્યગ્દર્શન પામ્યા પહેલાં અને પછી પણ, કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ભેદજ્ઞાન ભાવ્યા કરવું દ્રવ્યદષ્ટિનું જોર-ભેદજ્ઞાનનું બળ-ઠેઠ કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી સાથે રહે છે. આ એક જ ઉપાય છે. અધૂરી દશા છે એટલે અણુવ્રત, પંચમહાવ્રત, દેવ-શાસ્ત્ર-ગુરુની મહિમા વગેરે એવા શુભભાવો તેમ જ સમ્યગ્દર્શનના આઠ અંગરૂપ વ્યવહારિક ભાવો આવે છે, તે બધું સાથે હોય છે; પણ મોક્ષનો ઉપાય તો અંતરમાં એક સમ્યગ્દર્શનની સહજધારા ચાલે તે છે. સમ્યગ્દષ્ટિને સહજ જ્ઞાતાધારા ચાલે છે અને તે સહજ પુરુષાર્થથી ચાલે છે. તેણે સહજ માર્ગ જાણી લીધો છે. અનુભવ પહેલાં જિજ્ઞાસુને પણ અભ્યાસ તો એક જ કરવાનો છે, જે માર્ગ છે તે માર્ગનો જ અભ્યાસ કરવાનો છે. અભ્યાસ ન થાય તો વારંવાર પુરુષાર્થ કરવો; પણ માર્ગ તો એક જ છે. ભેદવિજ્ઞાન કયાં સુધી ભાવવું? કે આત્મા આત્મામાં ઠરી ન જાય ત્યાં સુધી ધારાવાહી ભાવવું, એમ સમયસારમાં આવે છે. ૩. પ્રશ્નઃ- જીવ બહારનું કામ ગમે તેવું દુષ્કર હોય તો પણ કરવાની તૈયારી બતાવે છે. પરંતુ અહીં પૂજ્ય ગુર્દેવ અને આપ ઘણું બતાવો છો પણ કરતો નથી. સમાધાન - ગુરુ કહે છે કે આ રસ્તે જા આ દિશા છે ત્યાં જા. તેઓ રસ્તો બતાવે, પણ કાંઈ ચલાવી ન દે. ગુરુદેવે પીંખી પીંખીને બધું બતાવ્યું છે. જેમ નાના બાળકને બતાવે તે રીતે બતાવ્યું છે. વિભાવ-શુભભાવ વચ્ચે આવે તેમાં રોકાઈશ નહિ, અંદર સાધકદશાની પર્યાયો પ્રગટે તેમાં પણ રોકાઈશ નહિ અને અનેક જાતના જ્ઞાનના ભેદો આવે તેમાં પણ રોકાઈશ નહિ. આમ ગુરુદેવ અનેક રીતે સમજાવતા હતા. એક શાશ્વત દ્રવ્યને ગ્રહણ કરીને તે રસ્તે જવાથી તને શુદ્ધતાની પર્યાય પ્રગટ થશે એમ કહીને Please inform us of any errors on [email protected]
SR No.008316
Book TitleSwanubhutidarshan
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherJagjivan Bavchand Doshi Parivar Songadh
Publication Year1996
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy