________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૬]
[ સ્વાનુભૂતિદર્શન તો ભેદજ્ઞાન એટલે સ્વાનુભૂતિની વાત લીધી છે. ભેદજ્ઞાન દ્વારા તાત્કાલિક ભેદ થઈ જશે અને તેમાં તેને સ્વાનુભૂતિ થશે. વિકલ્પવાળી ભૂમિકામાં લેવું હોય તો વારંવાર અભ્યાસ એટલે વારંવાર ભેદજ્ઞાનની ઉગ્રતા કરવાથી તેને સ્વાનુભૂતિ થશે. તે વખતે વિકલ્પ છે પણ વિકલ્પ તે હું નથી, શું જ્ઞાયક છું-જ્ઞાયક છું એવી જ્ઞાતાધારાની ઉગ્રતા દ્વારા તને સ્વાનુભૂતિ થશે. ૨૧૪. પ્રશ્ન-પરિણતિ અને ઉપયોગ તે બંનેમાં ફેર છે? સમાધાનઃ- પરિણતિ અને ઉપયોગમાં ફેર છે. ભેદજ્ઞાનની ધારારૂપ તેની પરિણતિ તો કાયમ ચાલુ જ છે, જ્યારે ઉપયોગ તો બહાર આવે અને અંતરમાં આવે. ઉપયોગ અંતરમાં આવે ત્યારે સ્વાનુભૂતિ થાય. પછી બહાર આવે. ઉપયોગ બહાર આવવા છતાં પરિણતિ તો ચાલુ જ છે. આમ પરિણતિ અને ઉપયોગમાં ફેર છે. ભેદજ્ઞાનની ધારા તો ચાલુ જ છે, અમુક અંશે જેટલી દશા પ્રગટ થઈ તેટલી ચાલુ છે. ૨૧૫. પ્રશ્ન:- થવાનું હોય તેમ કમસર થાય છે તેથી નવો પુરુષાર્થ કરવાની શી જરૂર છે? સમાધાનઃ- જે થવાનું હોય તેમ થાય એમ એકાંત નથી, તેમાં સ્વભાવ-કાળપુરુષાર્થ બધું સાથે હોય છે. તેમાં પુરુષાર્થનું કારણ મુખ્ય છે. જે પર્યાય પ્રગટવાની હોય તે પ્રગટે, પણ તેમાં પુરુષાર્થ સાથે હોય છે. પુરુષાર્થ વગર કોઈ પર્યાય પ્રગટ થાય તેમ નથી હોતું. સ્વભાવ-કાળ-પુષાર્થ-દેશનાલબ્ધિ બધું સાથે હોય છે. ૨૧૬. પ્રશ્ન- ભાવના અને ધારણામાં શું ફેર ? સમાધાન- ધારણામાં તો ગોખી રાખ્યું છે અને ભાવના તો અંતરમાં પોતે ભાવપૂર્વક કરે છે. ભાવના ભાવનામાં પણ ફેર હોય છે. ભાવના કર્યા કરે કે હું ત્રિકાળી શુદ્ધ છું, પણ પોતાના અંતરમાંથી આવેલી ભાવના હોય તે જુદી હોય છે. હું ત્રિકાળ શુદ્ધ છું-શુદ્ધ છું તેમ (ઉપલક ) ભાવના અને ઊંડી જે અંતર્ગત ભાવના તે જુદી હોય છે. ધારણામાં તો ગોખ્યા કરે છે. ૨૧૭. પ્રશ્ન- વારંવાર એ જ જાતના વિચાર ચાલે તે ભાવના કહેવાય ? સમાધાન - વિચારો ચાલે તે નહિ, પણ અંતરમાંથી-ઊંડાણમાંથી એમ થવું જોઈએ તે ભાવના છે. માત્ર ગોખ્યા કરે ને એકલા વિકલ્પ કર્યા કરે કે હું ત્રિકાળ શુદ્ધ-શુદ્ધ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com