SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૮] [સ્વાનુભૂતિદર્શન ક્ષયોપશમથી બોલે તેની ભાષા અને વળાંક અમુક પ્રકારનો આવતો હોય છે. આમ બંનેનું અંતર મુમુક્ષુ હોય તે અંદરથી ગ્રહણ કરી લે છે. ૧૫૩. પ્રશ્ન- શ્રીમજીએ અનેક જગ્યાએ લખ્યું છે કે જીવને આત્મપ્રાતિ નહિ થવામાં મૂળ કારણ તેની સ્વચ્છંદતા છે, તો સ્વચ્છંદતામાં શું કહેવું છે ? સમાધાન - સ્વચ્છંદી જીવ પોતાની મતિ-કલ્પનાથી માર્ગનો નિર્ણય કરી લે છે કે માર્ગ આમ જ હોય, હું જે માનું છું તે સાચું જ છે. કાં બહુ શાસ્ત્ર-અભ્યાસ કર્યો હોય તો, શાસ્ત્રમાં આ રીતે આવે છે, આત્મા આમ જ હોય તેમ પોતાની મતિથી જે નક્કી કર્યું હોય ત્યાં ને ત્યાં સ્વચ્છેદવૃત્તિથી અટકી જાય છે અથવા ગમે ત્યાં અટકતો હોય, પણ તેને કોઈને પૂછવાનું રહેતું નથી, કારણ કે હું બધું જાણું છું, મને બધું આવડે છે તેમ તેને થઈ જાય છે. જેણે માર્ગ જામ્યો છે તેવા અનુભૂતિવાળા જ્ઞાનીઓ શું કહે છે તે જોવાનો અવકાશ તેને રહેતો નથી અને જેને મતિ-કલ્પના ન હોય તેને અવકાશ રહે છે કે વિશેષ જાણનાર કોણ છે અને તેઓ શું કહે છે. ગૌતમસ્વામી-ઇન્દ્રભૂતિ વેદાંતમાં માનતા હતા. ઇન્દ્ર આવીને તેની પરીક્ષા કરી. તેની એટલી તૈયારી હતી કે આ શું કહે છે? તેને આશ્ચર્ય લાગ્યું કે મને તો એટલું બધું આવડતું હોવા છતાં આ તો હું નથી જાણતો! આ જે પ્રશ્ન પૂછે છે કે દ્રવ્ય કેટલા..(ઇત્યાદિ) તે મને કાંઈ આવડતું કેમ નથી? હું તો એમ માનતો હતો કે હું સર્વજ્ઞ છું....આમ આશ્ચર્ય લાગ્યું તેથી ત્યાં (ભગવાન પાસે) જવાની તૈયારી કરી. એટલી અંદરમાંથી યોગ્યતા થઈ કે હું નથી જાણતો, તો ત્યાં જવાનો અવકાશ રહ્યો. પણ હું બધું જ જાણું છું તેમ માનતો હોય તેને કાંઈ અવકાશ રહેતો નથી. ૧૫૪ પ્રશ્ન- શ્રીમજીએ એક જગ્યાએ એમ લખ્યું છે કે જ્ઞાની પુરુષ કરતાં જો જીવને પરિગ્રહ પ્રત્યે વધારે પ્રેમ છે તો ખરી રીતે તે આત્માને સમજવાને કે પામવાને લાયક નથી, તો એનો શું અર્થ છે? સમાધાન- જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે એવા જ્ઞાની કરતાં પરિગ્રહ પ્રત્યે પ્રેમ એટલે કે બહારનો રસ વધી જાય અર્થાત્ પરિગ્રહની મહિમા આવે અને જ્ઞાની પ્રત્યેની મહિમા ન આવે તો તે ખરેખર લાયક નથી. તેને પરિગ્રહ ગૌણ થઈ જવો જોઈએ, બહારનો રસ ઊતરી જવો જોઈએ; તો જ્ઞાનીની તેને મહિમા આવે. Please inform us of any errors on [email protected]
SR No.008316
Book TitleSwanubhutidarshan
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherJagjivan Bavchand Doshi Parivar Songadh
Publication Year1996
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy