SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૮] [સ્વાનુભૂતિદર્શન એકદમ શોધ કરે; વળી આ બધા પદાર્થો ક્ષણે ક્ષણે પલટાય છે તો શાશ્વત એવું દ્રવ્ય શું છે કે જેમાં આનંદ ભરેલો છે? અનંત જ્ઞાન ભરેલું દ્રવ્ય કેવું છે?-એ રીતે તે તરફના અંતરમાં વારંવાર વિચાર કરે તો સ્વભાવને ઓળખે. બહારનું આ બધું તો લૂખું છે. તેમાં કયાંય સંતોષ કે શાંતિ નથી. પણ એક ચૈતન્યતત્ત્વ જ એવું છે કે જેમાં અનંત શાંતિ-સુખ-આનંદ ને અપૂર્વતા ભરેલી છે.-આમ આત્માને સ્વભાવથી ઓળખવો. દેવ-ગુરુ સ્વાનુભવ કરીને કહી રહ્યા છે કે અનંતકાળથી નથી પ્રગટયું એવું કોઈ અનુપમ તત્ત્વ તારામાં છે. આ વાતનો પોતે વિચાર કરી પોતાના સ્વભાવ સાથે મેળવે અને નક્કી કરે કે મારું અપૂર્વ તત્ત્વ કોઈ જુદું જ છે, અને પરિણતિ અંતરમાં જાય તો અનુભવ થઈ શકે એવું છે. ગુરુદેવની વાણી પાછળ અપૂર્વતા હતી. તેઓ આત્માની અપૂર્વતા, આત્માનો ચમત્કાર, આત્માની મહિમા બતાવતા હતા. તે વાતને પોતે અંતરમાં પોતાના સ્વભાવ સાથે મેળવીને, મને નથી દેખાતો તોપણ આત્મા મહિમારૂપ છે એમ નક્કી કરવું. પોતે વિચાર કરીને તેમ જ શાસ્ત્ર દ્વારા, ગુરુની વાણી દ્વારા ને યુક્તિથી અંતર ચૈતન્યનો સ્વભાવ ઓળખીને નક્કી કરે. જે સ્વભાવ હોય તે અમર્યાદિત હોય, વળી જે આનંદને ઈચ્છી રહ્યો છે તે તત્ત્વમાં અનંત ને અપૂર્વ આનંદ ભરેલો હોવો જોઈએ તથા આનંદ કોઈ બીજાના આશ્રયે ન થાય-સ્વયંથી થાય. આમ અંતરમાં પોતે મેળવીને નક્કી કરે, મહિમા લાવે ને તે બાજુનો પુરુષાર્થ કરે તે આત્માનું માહાસ્ય લાવવાનો ઉપાય છે. ૧૧૯. પ્રશ્ન- જ્ઞાનીની મુદ્રાનું નિદિધ્યાસન કરવાથી જ્ઞાની ઓળખી શકાય છે? સમાધાનઃ- સત્પુરુષની મુદ્રા દ્વારા તેનો આત્મા શું કરી રહ્યો છે તે ઓળખી શકાય છે, પણ પોતાની પાત્રતાની એટલી તૈયારી હોવી જોઈએ ને? મને અંતરમાં સત્ સ્વરૂપ કેમ પ્રગટે? તેવી સની જિજ્ઞાસા જેને જાગે છે તે, જેને સત્ પ્રગટ થયું છે તેવા સપુરુષને વાણી દ્વારા, મુદ્રા દ્વારા ઓળખી શકે છે, પરંતુ તેને પોતાને જ્ઞાનીને ઓળખવાની તૈયારી હોવી જોઈએ. સત્ તરફની રુચિ હોય તો જ્ઞાની શું કરે છે તે પણ મુદ્રા દ્વારા ઓળખી શકે છે. ૧૨૦. પ્રશ્ન:- આત્મસાધના શેનાથી બની શકે ? દષ્ટિથી કે જ્ઞાનથી ? સમાધાનઃ- દષ્ટિ મુખ્ય છે તેની સાથે વિચાર પણ હોય છે. દષ્ટિ અને જ્ઞાન-બેય Please inform us of any errors on [email protected]
SR No.008316
Book TitleSwanubhutidarshan
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherJagjivan Bavchand Doshi Parivar Songadh
Publication Year1996
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy