________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૦]
| [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા ભેદરૂપ રાશિ થાય તેને કેવળજ્ઞાનના અવિભાગપ્રતિચ્છેદનો સમૂહ પ્રમાણમાં ઘટાવી ફરી મેળવવી. ત્યારે કેવળજ્ઞાનના અવિભાગપ્રતિચ્છેદરૂપ ઉત્કૃષ્ટ અનંતાનંતપ્રમાણ રાશિ થાય છે.
ઉપમાપ્રમાણ આઠ પ્રકારથી કહ્યું છે:- પલ્ય, સાગર, સૂટ્યગુલ, પ્રતરાંગુલ, ઘનાંગુલ, જગન્હેણી, જગપ્રતર અને જગન્શન. તેમાં પલ્યના ત્રણ પ્રકાર છે-વ્યવહાર૫લ્ય, ઉદ્ધાપલ્ય તથા અદ્ધાપલ્ય. ત્યાં વ્યવહાર પલ્ય તો રોમોની સંખ્યા પ્રમાણ જ છે, ઉદ્ધારપલ્ય વડે દ્વીપસમુદ્રોની સંખ્યા ગણવામાં આવે છે તથા અદ્ધાપલ્ય વડે કર્મોની સ્થિતિ તથા દેવાદિકની આયુસ્થિતિ ગણવામાં આવે છે.
હવે તેમનું પરિણામ જાણવા માટે પરિભાષા કહે છે :
અનંત પુદ્ગલના પરમાણુઓના સ્કંધને એક અવસન્નાસન્ન કહે છે, તેનાથી આઠ આઠ ગુણા ક્રમથી બાર સ્થાનક જાણવાં. સન્નાસગ્ન, તૃટરેણુ, ત્રસરેણુ, રથરેણુ, ઉત્તમ ભોગભૂમિના વાળનો અગ્રભાગ, મધ્યમ ભોગભૂમિના વાળનો અગ્રભાગ, જઘન્યભોગભૂમિના વાળનો અગ્રભાગ, કર્મભૂમિના વાળનો અગ્રભાગ, લીખ, સરસવ, જવ અને આંગળ-એ બાર સ્થાનક છે. આ આંગળ છે તે ઉત્સધઆંગળ છે, એ વડે નારકી, દેવ, તિર્યંચ અને મનુષ્યોના શરીરનું પ્રમાણ વર્ણન કરવામાં આવે છે તથા દેવોનાં નગર–મંદિરાદિનું વર્ણન કરવામાં આવે છે. વળી ઉત્સધઆંગળથી પાંચસો ગણા પ્રમાણાંગુલ છે. એ વડે દ્વીપ, સમુદ્ર અને પર્વતાદિના પરિમાણનું વર્ણન કરવામાં આવે છે. તથા આત્માંગુલ, જ્યાં જેવા મનુષ્યો હોય ત્યાં તે પ્રમાણે જાણવો. છ આંગળનો પાદ થાય છે, બે પાદનો એક વિલત (વંત) થાય છે, બે વિસ્તનો એક હાથ થાય છે. બે હાથનો એક ભીષ (વાર) થાય છે, બે ભીષનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com