________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
સમય અધિક જઘન્યસ્થિતિસ્થાન લેવું. તેમાં પણ કાયસ્થાન, અનુભાગસ્થાન અને યોગસ્થાન ઉપર કહેલા ક્રમપૂર્વક ભોગવે. એ પ્રમાણે બે સમય અધિક જઘન્યસ્થિતિથી માંડી ત્રીસ કોડાકોડી સાગર સુધી જ્ઞાનાવરણકર્મની સ્થિતિ પૂર્ણ કરે. એ પ્રમાણે સર્વ મૂળકર્મ પ્રકૃતિઓ તથા ઉત્તરકર્મ પ્રકૃતિઓનો ક્રમ જાણવો. એ રીતે પરિણમતાં પરિણમતાં અનંત કાળ વ્યતીત થાય છે; તેને એકઠો કરતાં એક ભાવપરાવર્તન થાય. એવાં અનંત ભાવપરાવર્તન આ જીવ ભોગવતો આવ્યો છે.
હવે એ પાંચ પરાવર્તનના કથનને સંકોચે છેઃएवं अणाइकालं पंचपयारे भमेइ संसारे । णाणादुक्खणिहाणे जीवो मिच्छत्तदोसेण ।। ७२ ।। एवं अनादिकालं पञ्चप्रकारे भ्रमति संसारे । नानादुःखनिधाने जीव: मिथ्यात्वदोषेण ।। ७२ ।।
આ
જીવ
અર્થ:- એ પ્રમાણે પંચપરાવર્તનરૂપ સંસારમાં અનાદિકાળથી મિથ્યાત્વદોષ વડે ભમે છે. કેવો છે સંસાર ? અનેક પ્રકારનાં દુઃખોનું નિધાન (ખજાનો ) છે.
હવે એવા સંસા૨થી છૂટવાનો ઉપદેશ કરે છેઃ
इय संसारं जाणिय मोहं सव्वायरेण चइऊणं । तं झायह ससहावं संसरणं जेण णासेइ ।। ७३ ।। इति संसारं ज्ञात्वा मोहं सर्वादरेण त्यक्त्वा।
तं ध्यायत स्वस्वभावं संसरणं येन नश्यति ।। ७३ ।।
અર્થ:- ઉ૫૨ કહ્યા પ્રમાણે આ સંસારને જાણી, સર્વ પ્રકારે ઉઘમ કરી, મોહને છોડી હૈ ભવ્યાત્મા! તું એ આત્મસ્વભાવનું ધ્યાન કર કે જેથી સંસા૨પરિભ્રમણનો નાશ થાય.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com