SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦ ] [સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા અર્થ:- સંસારી જીવ, નરકાદિ ચાર ગતિની જઘન્ય સ્થિતિથી ત્રૈવેયકપર્યંત ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી સર્વ સ્થિતિઓમાં માંડીને જન્મે છે. ભાવાર્થ:- નરકગતિની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે. તેના જેટલા સમય છે તેટલી વાર તો જઘન્ય સ્થિતિનું આયુષ્ય ધારણ કરીને જન્મે, પછી એક સમય અધિક આયુષ્ય લઈને જન્મે, પછી બે સમય અધિક આયુષ્ય લઈને જન્મે, એ જ પ્રમાણે અનુક્રમપૂર્વક તેત્રીસ સાગર સુધીનું આયુષ્ય પૂર્ણ કરે. પણ વચ્ચે-વચ્ચે ઓછું-વત્તું આયુષ્ય લઈ જન્મે તેની અહીં ગણતરી નથી. એ જ પ્રમાણે તિર્યંચગતિનું જઘન્ય આયુ અંતર્મુહૂર્ત છે. તેના જેટલા સમય છે તેટલી વાર જઘન્ય આયુનો ધારક થઈ, પછી એક સમય અધિક-અધિકના ક્રમથી ( એ તિર્યંચગતિનું ઉત્કૃષ્ટ) ત્રણ પલ્પ આયુ પૂર્ણ કરે; પણ વચ્ચે ઓછું-વત્તું આયુ પામે તેની અહીં ગણતરી નથી. એ જ પ્રમાણે મનુષ્યનું જઘન્ય આયુથી માંડીને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યનું આયુ પૂર્ણ કરે, તથા એ જ પ્રમાણે દેવગતિનું જઘન્ય દસ હજાર વર્ષથી માંડીને અંતિમ ત્રૈવેયકની એકત્રીસ સાગર સુધીનું સમય સમય અધિક અનુક્રમપણે પૂર્ણ કરે; તેને ભવપરાવર્તન કહે છે. નવ ચૈવેયકની આગળ ઊપજવાવાળો એક બે ભવ કરીને મુક્ત જ થાય છે, તેથી તેને અહીં ગણ્યો નથી. એ ભવપરાવર્તનનો પણ અનંત કાળ છે. હવે ભાવપરાવર્તન કહે છે : परिणमदि सण्णिजीवो विविहकसाएहिं द्विदिणिमित्तेहिं । अणुभागणिमित्तेहिं य वट्टंतो ભાવસંસારે।। ૭૬ || परिणमते संझिजीव: विविधकषायैः स्थितिनिमित्तैः । च वर्त्तमानः ભાવસંસારે।। ૭ || अनुभागनिमित्तैः Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy