________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્વાદશતપ ]
[ ૨૯૯ जत्थ गुणा सुविसुद्धा उवसमखमणं च जत्थ कम्माणं। लेसा वि जत्थ सुक्का तं सुक्कं भण्णदे झाणं ।। ४८३।। यत्र गुणाः सुविशुद्धाः उपशमक्षपणं च यत्र कर्मणाम्। लेश्या अपि यत्र शुक्ला तत् शुक्लं भण्यते ध्यानम्।। ४८३ ।।
અર્થ - જ્યાં, વ્યક્ત કષાયના અનુભવ રહિત ભલા પ્રકારથી, જ્ઞાનોપયોગાદિ ગુણો વિશુદ્ધ-ઉજ્જવલ હોય, કર્મોનો જ્યાં ઉપશમ કે ક્ષય હોય તથા જ્યાં લેશ્યા પણ શુક્લ જ હોય તેને શુક્લધ્યાન કહે છે.
ભાવાર્થ-આ સામાન્યપણે શુકલધ્યાનનું સ્વરૂપ કહ્યું. વિશેષ હવે કહે છે. વળી કર્મોનું ઉપશમન તથા ક્ષપણાનું વિધાન અન્ય ગ્રંથાનુસાર ટીકાકારે લખ્યું છે તે પણ હવે કહીશું.
હવે શુકલધ્યાનના વિશેષ (ભેદો ) કહે છે:पडिसमयं सुज्झंतो अणंतगुणिदाए उभयसुद्धीए। पढमं सुक्कं झायदि आरूढो उभयसेणीसु।। ४८४ ।। प्रतिसमयं शुध्यन् अनन्तगुणितया उभयशुद्धया। प्रथमं शुक्लं ध्यायति आरूढ: उभयश्रेणीषु।। ४८४।।
અર્થ:-ઉપશમ તથા ક્ષપક એ બંને શ્રેણીમાં આરૂઢ થતો થકો સમયે સમયે કર્મોને ઉપશમ તથા ક્ષયરૂપ કરી અનંતગુણી વિશુદ્ધતાથી શુદ્ધ થતો થકો મુનિ પ્રથમ પૃથવિતર્કવિચાર નામનું શુકલધ્યાન ધ્યાવે છે.
ભાવાર્થ- પ્રથમ મિથ્યાત્વની ત્રણ અને અનંતાનુબંધીકષાયની ચાર પ્રકૃતિઓનો ઉપશમ વા ક્ષય કરી સમ્યગ્દષ્ટિ થાય, પછી અપ્રમત્તગુણસ્થાનમાં સાતિશય વિશુદ્ધતા સહિત થઈ શ્રેણીનો આરંભ કરે ત્યારે અપૂર્વકરણગુણસ્થાન થઈ ત્યાં શુક્લધ્યાનનો પહેલો પાયો પ્રવર્તે. ત્યાં જ મોહની પ્રકૃતિઓને ઉપશમાવવાનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com