________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા ]
[ ૧૮૯
जो ण वि जाणदि तच्चं सो जिणवयणे करेदि सद्दहणं । जं जिणवरेहिं भणियं तं सव्वमहं समिच्छामि ।। ३२४ ।। यः न अपि जानाति तत्त्वं सः जिनवचने करोति श्रद्धानम् । यत् जिनवरैः भणितं तत् सर्वं अहं समिच्छामि ।। ३२४ ।।
અર્થ:- જે જીવ જ્ઞાનાવરણના વિશિષ્ટ ક્ષયોપશમ વિના તથા વિશિષ્ટ ગુરુના સંયોગ વિના તત્ત્વાર્થને જાણી શકતો નથી તે જીવ જિનવચનમાં આ પ્રમાણે શ્રદ્ધાન કરે છે કે-‘જિતેંદ્રદેવે જે તત્ત્વ કહ્યું છે તે બધુંય ભલા પ્રકારથી હું ઇષ્ટ કરું છું'. એ પ્રમાણે પણ તે શ્રદ્ધાવાન થાય છે.
ભાવાર્થ:- જે જિનેશ્વરના વચનોની શ્રદ્ધા કરે છે કે ‘સર્વજ્ઞદેવે કહ્યું છે તે સર્વ મને ઇષ્ટ છે', એવી સામાન્ય શ્રદ્ધાથી પણ તેને આજ્ઞાસમ્યક્ત્વી કહ્યો છે.
હવે ત્રણ ગાથામાં સમ્યક્ત્વનું માહાત્મય કહે છેઃरयणाण महारयणं सव्वजोयाणं उत्तमं जोयं । रिद्धीण महारिद्धी सम्मत्तं सव्वसिद्धियरं ।। ३२५ ।।
रत्नानां महारत्नं सर्व्वयोगानां उत्तमः योगः । ऋद्धीनां महर्द्धि सम्यक्त्वं सर्वसिद्धिकरम् ।। ३२५ ।।
અર્થ:- સર્વ રત્નોમાં પણ મહારત્ન સમ્યક્ત્વ છે, વસ્તુની સિદ્ધિ કરવાના ઉપાયરૂપ સર્વ યોગ, મંત્ર, ધ્યાન આદિમાં (સમ્યક્ત્વ ) ઉત્તમ યોગ છે; કારણ કે- સમ્યક્ત્વથી મોક્ષ સધાય છે. અણિમાદિ ઋદ્ધિઓમાં પણ સમ્યક્ત્વ) મહાન ઋદ્ધિ છે. ઘણું શું કહીએ? સર્વ સિદ્ધિ કરવાવાળું આ સમ્યક્ત્વ જ છે.
सम्मत्तगुणपहाणो देविंदणरिंदवंदिओ होदि । चत्तवओ वि य पावदि सग्गसुहं उत्तमं विविहं ।। ३२६ ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com