________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા]
[૧૮૩ પ્રવર્તવું થાય છે એમ તે માને છે."
उत्तमगुणगहणरओ उत्तमसाहूण विणयसंजुत्तो। साहम्मियअणुराई सो सद्दिट्ठी हवे परमो।। ३१५ ।। उत्तमगुणग्रहणरतः उत्तमसाधूनां विनयसंयुक्तः। साधर्मिकानुरागी स सदृष्टि: भवेत् परमः ।। ३१५ ।।
અર્થ- વળી કેવો છે તે સમ્યગ્દષ્ટિ? ઉત્તમ ગુણો જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ આદિનું ગ્રહણ કરવામાં તો અનુરાગી (ભાવનાવંત) હોય છે, એ ગુણો ધારક ઉત્તમ સાધુજનોના વિનયથી યુક્ત હોય છે તથા પોતા સમાન સમ્યગ્દષ્ટિ સાધર્મી જનોમાં
१ णो इन्दियेसु विरदो णो जीवे थावरे तसे वापि। जो सद्दहदि जिणुत्तं सम्माइट्ठी अविरदो सो।।
(ગોમ્મદસાર જીવ ગા. ૨૯) जीवा चोद्दसभेया इंदियविसया तहवीसं तु। जे तेसु णेव विरया असंजदा ते मुणेदव्वा।।
(ગોમટસાર જીવ ગા૪૭૭) અર્થ- જે ઇન્દ્રિયોના વિષયોથી તથા ત્ર-સ્થાવરજીવોની હિંસાથી વિરક્ત નથી
પરંતુ જિનંદ્રદેવ દ્વારા કથિત પ્રવચનનું શ્રદ્ધાન કરે છે તે અવિરતસમ્યગ્દષ્ટિ છે. સંયમ બે પ્રકારનો છે : એક ઇન્દ્રિયસંયમ તથા બીજા પ્રાણસંયમ. ઇન્દ્રિયવિષયોથી વિરક્ત થવાને ઇન્દ્રિયસંયમ કહે છે તથા સ્વ-પરજીવના પ્રાણોની રક્ષાને પ્રાણસંયમ કહે છે. આ (ચોથા) ગુણસ્થાનમાં એ બંને સંયમોમાંથી કોઈ પણ સંયમ હોતો નથી તેથી તેને અવિરતસમ્યગ્દષ્ટિ કહે છે. હા એટલું ખરું કે
પ્રયોજન વિના કોઈ પણ હિંસામાં તે પ્રવૃત્ત પણ થતો નથી. અર્થ - ચૌદ પ્રકારના જીવસમાસમાં અને અઠ્ઠાવીસ પ્રકારના ઇન્દ્રિયવિષયોમાં જે વિરક્ત ન થવું તેને અસંયમ કહે છે. (ગા. ૪૭૭). પાંચ રસ, પાંચ વર્ણ, બે ગંધ, આઠ સ્પર્શ, સાત સ્વર અને એક મન એ ઇન્દ્રિયોના અઠ્ઠાવીસ વિષય છે. (જુઓ–ગો જીવ ગાઇ ૪૭૮)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com