________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા]
[૧૩૯ द्रव्याणां पर्यायाणां धर्मविवक्षया क्रियते भेदः। वस्तुस्वरूपेण पुनः न हि भेदः शक्यते कर्तुम्।। २४५।।
અર્થ - દ્રવ્ય અને પર્યાયમાં ધર્મ-ધર્મીની વિવક્ષાથી ભેદ કરવામાં આવે છે; પરંતુ વસ્તુસ્વરૂપથી ભેદ થઈ શકતો નથી.
ભાવાર્થ:- દ્રવ્ય એ પર્યાયમાં ધર્મ-ધર્મીની વિવક્ષાથી ભેદ કરવામાં આવે છે અર્થાત્ દ્રવ્ય ધર્મી છે અને પર્યાય ધર્મ છે. વસ્તુપણે એ બંને અભેદ જ છે. કોઈ નૈયાયિકાદિક ધર્મ-ધર્મીમાં સર્વથા ભેદ માને છે, તેમનો મત પ્રમાણબાધિત છે.
હવે દ્રવ્ય અને પર્યાયમાં સર્વથા ભેદ માને છે તેમના મતમાં દૂષણ દર્શાવે છે:जदि वत्थुदो विभेदो पज्जुयदव्वाण मण्णसे मूढ। तो णिरवेक्खा सिद्धी दोहं पि य पावदे णियमा।। २४६।। यदि वस्तुत: विभेद: पर्यायद्रव्ययो: मन्यसे मूढ। ततः निरपेक्षा सिद्धिः द्वयोः अपि च प्राप्नोति नियमात्।। २४६ ।।
અર્થ- દ્રવ્ય અને પર્યાયમાં (સર્વથા) ભેદ માને છે તેને કહે છે કે-હે મૂઢ! જો તું દ્રવ્ય અને પર્યાયમાં વસ્તુપણાથી પણ ભેદ માને છે તો દ્રવ્ય અને પર્યાય બંનેની નિરપેક્ષ સિદ્ધિ નિયમથી પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ - (એમ માનતાં) દ્રવ્ય અને પર્યાય જુદી જુદી વસ્તુ ઠરે છે પણ તેમાં ધર્મ-ધર્મીપણું ઠરતું નથી.
હવે જેઓ વિજ્ઞાનને જ અદ્વિત કહે છે અને બાહ્ય પદાર્થ માનતા નથી તેમના મતમાં દૂષણ દર્શાવે છે:जदि सव्वमेव णाणं णाणारूवेहिं संठिदं एक्कं । तो ण वि किं पि विणेयं णेयेण विणा कहं णाणं ।। २४७।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com