________________
૮૦]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા प्रत्येकाः अपि च द्विविधाः निगोदसहिताः तथैव रहिताः च। द्विविधाः भवन्ति त्रसाः अपि च द्वित्रिचतुरक्षाः तथैव ञ्चाक्षाः।।१२८ ।।
અર્થ:- પ્રત્યેક વનસ્પતિ પણ બે પ્રકારની છે. તે નિગોદ સહિત છે તથા નિગોદ રહિત પણ છે. વળી ત્રસ પણ બે પ્રકારના છે. બે ઈદ્રિય, ત્રણ ઇંદ્રિય તથા ચાર ઇંદ્રિય એ ત્રણ તો વિકલત્રય (ત્રણ) તથા એ જ પ્રમાણે પંચેન્દ્રિય (ત્રણ) છે.
ભાવાર્થ- જે વનસ્પતિના આશ્રયે નિગોદ હોય તે તો સાધારણ છે તેને સપ્રતિષ્ઠિત પણ કહેવામાં આવે છે; તથા જેના આશ્રયે નિગોદ નથી તેને પ્રત્યેક જ કહેવામાં આવે છે અને એને જ અપ્રતિષ્ઠિત પણ કહેવામાં આવે છે. વળી બેઇઢિયાદિકને ત્રસ કહેવામાં આવે છે.
ગોમ્મસારમાં કહ્યું છે કે
१ मूलग्गपोरबीजा कंदा तह खंदबीज बीजरुहा। सम्मुच्छिमा य भणिया पत्तेयाणंतकाया य।।
ગો. જી. ગા૧૮૫ मूलाग्रपर्वबीजाः कन्दाः तथा स्कन्धबीजा: बीजरुहाः।
सम्मूर्च्छना च भणिता: प्रत्येका: अनन्तकाया: च।। અર્થ- જે વનસ્પતિ મૂળ, અગ્ર, પર્વ, કંદ, સ્કંધ તથા બીજથી ઉત્પન્ન થાય છે તથા
જે સંપૂર્ઝન છે તે વનસ્પતિઓ સપ્રતિષ્ઠિત તથા અપ્રતિષ્ઠિત બંને પ્રકારની
હોય છે. ભાવાર્થ- ઘણીખરી વનસ્પતિઓ મૂળથી ઉત્પન્ન થાય છે, જેમ કે અદરક-હળદી
વગેરે વગેરે. કોઈ વનસ્પતિ અગ્રભાગથી ઉત્પન્ન થાય છે, જેમ કે ગુલાબ. કોઈ વનસ્પતિની ઉત્પત્તિ પર્વથી થાય છે, જેમ કે ઇક્ષુ-વંત આદિ. કોઈ વનસ્પતિ કંદથી ઉત્પન્ન થાય છે, જેમ કે સૂરણ વગેરે. કોઈ વનસ્પતિ સ્કંધથી ઉત્પન્ન થાય છે; જેમ કે ઢાક વગેરે. ઘણીખરી વનસ્પતિ બીજથી ઉત્પન્ન થાય છે; જેમ કે ચણા-ઘઉં વગેરે. કોઈ વનસ્પતિ પૃથ્વી-જળ આદિના સંબંધથી ઉત્પન્ન થઈ જાય છે અને તે સંપૂર્ઝન છે; જેમ કે ઘાસ વગેરે. આ બધી વનસ્પતિ સપ્રતિષ્ઠિત તથા અપ્રતિષ્ઠિત બંને પ્રકારની હોય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com