SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates શુદ્ધ અંત:તત્ત્વ ૪૯ આહા... હા હા ! અતિ આસન્નભવ્ય પોતે લખે છે. પદ્મપ્રભમલધારિદેવ પોતે પોતા માટે લખે છે–અતિ આસન્નભવ્ય જીવ અને બીજું લખે છે–અમારા મુખમાંથી મકરંદ ઝરે છે. આનંદનો રસ ઝરતાં-ઝરતાં અમે આ શાસ્ત્ર બનાવીએ છીએ. ભાઈએ કહ્યું ને કેકઠણ પડે છે. કઠણ તો પડે ! જ્યાં ૫દ્રવ્યની સાથે એકતાબુદ્ધિ તીવ્ર હોય ત્યાં રાગને અને આત્માને પ્રદેશભેદ છે એ વાત કઠણ તો પડે એવી છે પરંતુ સમજવાથી સહેલી થાય એવી પણ છે. આને સમજ્યા વિના છૂટકો નથી. આવો આવે તેમ નથી. શ્રોતાઃ- અનંતકાળ સુધી અનંત આનંદ લેવાની વાત આવે તે કઠણ કેમ પડે? ઉત્તર:- ન સમજાય એટલે કઠણ તો પડે. અને સમજાય તેને મજા આવે. વળી અનેક પ્રકારના જીવો હોય એટલે પર્યાયની યોગ્યતા ભિન્ન-ભિન્ન છે. અને આ વાત, આત્માને કયાં સમજવી છે? સમજનારી તો પર્યાય છે. જ્યારે પર્યાયને દુઃખ લાગશે ત્યારે તે સમજીને મારી સન્મુખ થશે.. તો એ સુખી થશે. આ દ્રવ્ય અને પર્યાયનું ઉત્કૃષ્ટ ભેદજ્ઞાન ચાલે છે હોં ! શ્રોતાઃ- આ સમજવું પડશે સમજ્યા વિના છૂટકો નથી. ઉત્ત૨:- તેથી તો કહ્યું કે-આ સર્વજ્ઞ ભગવાનનું કથન છે એમ શ્રદ્ધામાં રાખીને અંદરમાં ધા૨ણામાં રાખવું, નકાર ન કરવો. અને જ્યાં સુધી અંદરમાં ભાવથી ન આવે ત્યાં સુધી હા પણ ન પાડવી. પરીક્ષા કરીને પ્રમાણ કરવું, પરંતુ નકાર કરવા જેવો નથી. ભાવકર્મના ઉદયના એટલે ઉત્પાદ, ભાવકર્મની પ્રગટતા, ભાવકર્મની વ્યક્તિ, ભાવકર્મની પર્યાય એનું સ્થાન નિજ ૫રમાત્મામાં નથી. આ દેશનાલબ્ધિ સાંભળવાનો જે રાગ એની ઉત્પત્તિ-એનું જે સ્થાન એ મારામાં નથી. કેમકે મારે અને તારે પ્રદેશભેદ છે. મારે અને તારે, મારા શુદ્ધાત્માને અને મારી પર્યાયને પ્રદેશભેદ છે એમ નથી. શું કહ્યું ? મારે અને તારે કાંઈ લાગતું-વળગતું નથી. તારો અને મારો પ્રદેશભેદ છે. મારા ખેતરમાં (ક્ષેત્રમાં ) કાંટા ઊગતા નથી. શ્રોતા:- મારી પર્યાય એમ નહીં? ઉત્ત૨:- મારે અને તારે પ્રદેશભેદ છે. શ્રોતા:- નહીંતર તો પર્યાય મારી થઈ જાય. ઉત્ત૨:- હા, તો મારી થઈ જાય.. સમજ્યા ? આ અધ્યાત્મની વાત એવી છે કેએને ખ્યાલમાં આવે તો પ્રમોદ આવે. અને પ્રમોદમાંથી શબ્દ નીકળી જાય. જયપુરમાં ભરી સભામાં બનાવ બની ગયો છે. તે સમજવા જેવું છે માટે કહું છું. જયપુરની આપણી વિદ્યાલય છે ત્યાં વિદ્યાર્થીઓએ માંગણી કરી કે–અમે જયપુરમાં વિધા અભ્યાસ કરીએ પણ સાથે સાથે અમારો અધ્યાત્મનો રસ જળવાય રહે તે માટેની એવી ગોઠવણ કરો કે–બાર મહિનામાં પાંચ, સાત, દશ પંડિતો આવે અને અધ્યાત્મની Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy